મુંબઈના બોરીવલીમાં ગુંડારાજ, ધોળા દિવસે વકિલ પર કરાયો હુમલો

હથિયાંર લઈને આવેલા ગુંડાઓના એક ટોળાંએ એડવોકેટ સત્યદેવ જોશીની કારને રસ્તાં વચ્ચે રોકી અને સત્યદેવને બહાર નિકળવાં મજબુર કર્યાં અને બહાર નિકળતાં જ તલવાર અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો.

મુંબઈના બોરીવલીમાં ગુંડારાજ, ધોળા દિવસે વકિલ પર કરાયો હુમલો
બોરીવલી પોલીસ સ્ટેશન
Follow Us:
Nidhi Bhatt
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:53 PM

મુંબઈ (mumbai) ના બોરીવલી વિસ્તારમાં રવીવારે એક આઘાતજનક ઘટના સામે આવી છે. ધોળા દિવસે તલવાર અને લાકડીઓ વડે એક વકિલ ઉપર હુમલો કરવામાં આવ્યો. હથિયાંર લઈને આવેલા ગુંડાઓના એક ટોળાંએ એડવોકેટ (advocate) સત્યદેવ જોશીની કારને રસ્તાં વચ્ચે રોકી અને સત્યદેવને બહાર નિકળવાં મજબુર કર્યાં અને બહાર નિકળતાં જ તલવાર અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો.

હાલ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ(viral) થઈ રહ્યો છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 15 થી વધુ લોકો શામેલ હતા.વકીલ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જો કે તેઓ તલવાર અને સળિયાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

એડવોકેટ મદન  ગુપ્તાએ આ ભયાનક હુમલાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે 5 થી 6 લોકોએ સત્યદેવ જોશી ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો, ત્યારે રાહદારીઓ આ ઘટનાને અનદેખી કરીને આગળ વધતાં રહ્યા હતાં. જ્યાંરે હુમલો થયો ત્યારે તેમના ક્લાઈન્ટ પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યાં હતાં.

સમાચાર સંસ્થાના અહેલાલ મુજબ આ મામલે મુંબઇ પોલીસે કેસની નોંધ લીધી અને  એફઆઈઆર નોંધી છે. રમખાણો અને હત્યાના પ્રયાસ માટે સંબંધિત કલમો હેઠળ હાલ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઇઆર બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 307, 326,324, 504 અને 506 હેઠળ દાખલ કરવામાં આવી છે. . વીડિયોમાંથી ઓળખાયેલા ત્રણ વ્યક્તિઓની  ધરપકડ પણ કરવામાં આવી છે.

આ હુમલા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. મુંબઈ પોલીસે પણ આ હુમલાનું કોઈ સ્પષ્ટ કારણ જાહેર કર્યું નથી. જો કે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈનાં એક ડેવલોપર સાથે ચાલી રહેલાં સંપતિ વિવાદને લઈને આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાંમાં વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની કાંદિવલીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધારે વિગતોની રાહ જોવાઇ રહી છે. આ ઘટનાએ આર્થિક રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : શું ચીનને નથી પોતાની વેક્સિન પર ભરોસો ? પોતાના નાગરીકોને આપશે જર્મન વેક્સિન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">