Mumbai: મુંબઈના ધારાવીમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઘાયલ, 2ની હાલત ગંભીર

મુંબઈના ધારાવી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘટનામાં 14 લોકો ઘાયલ થયા છે.

Mumbai: મુંબઈના ધારાવીમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 14 ઘાયલ, 2ની હાલત ગંભીર
Cylinder blast in Mumbai's Dharavi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:14 PM

મુંબઈના ધારાવી વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઘટનામાં 14 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મધ્ય મુંબઈની સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. BMC દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, હાલમાં ઘાયલોની સારવાર સાયન હોસ્પિટલમાં ચાલી રહી છે. 14 માંથી 2 લોકોની હાલત નાજુક છે. બંને 70 ટકા સુધી બળી ગયા છે.

રવિવારે ધારાવીના શાહુ નગરના કમલા નગરમાં એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યું હતું. આ કમલા નગર ધારાવીમાં મુબારક હોટલ પાસે આવેલ છે. જ્યાં આ અકસ્માત થયો હતો. અકસ્માત સવારે 12.30 વાગ્યે થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ બે ફાયર એન્જિન અને પાણીના ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર આગ 12:45 વાગ્યે લાગી હતી.

બે લોકો 70 ટકા સુધી બળી ગયા છે

ઘટનામાં કુલ 14 લોકો ઘાયલ થયા છે. તેમને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 ની હાલત અત્યંત ગંભીર છે. બંને લોકો 70 ટકા સુધી બળી ગયા છે. આ બંનેની સારવાર કરી રહેલા ડોક્ટર સાયલીએ આ માહિતી આપી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બ્લાસ્ટ થતાં જ અફરાતફરી ફેલાઈ ગઈ હતી

ગેસ સિલિન્ડર ફૂટતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. થોડીવારમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ઘરની આસપાસના ઘરોના લોકો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ રીતે આ આગ એક ઘરમાંથી નજીકના બે કે ત્રણ ઘરોમાં ફેલાઈ ગઈ હતી. આ આગમાં કુલ 14 લોકો ઘાયલ થયા હતા. આગ બુઝાવવાનું શરૂ થતાં જ આસપાસના લોકો દોડવા લાગ્યા અને પાણી લાવીને આગ પર ફેંકવાનું શરૂ કર્યું.

દરમિયાન ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અગ્નિશામકોએ તરત જ પરિસ્થિતિને પોતાના હાથમાં લીધી હતી. થોડી જ વારમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

હાલમાં આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે. હાલ તમામ પરિસ્થિતિઓ પર નિયત્રણ મળવી લેવાયું છે. ઘાયલોની સારવાર સાયન હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ બીએમસી મેયર કિશોરી પેડનેકરને અકસ્માત સંબંધિત સંપૂર્ણ માહિતી આપી છે.

આ પણ વાંચો: સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

આ પણ વાંચો: પેરાલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">