Mumbai : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે Adani Group કરશે, હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું
Mumbai International Airport : અબજોપતિ ઉદ્યોગપતિ અને દેશના બીજા ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ (Adani Group)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે.
Mumbai: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ (Adani Group)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport ) નું સંચાલન સંભાળ્યું છે.મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું મેનેજમેન્ટ કંટ્રોલ સંભાળ્યું. અત્યાર સુધીમાં મુંબઈ એરપોર્ટનું સંચાલન GVK ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.13 જુલાઈને મંગળવારે સોશિયલ મીડિયા સાઇટ પર ટ્વીટ કરીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ આ માહિતી આપી છે.
ગૌતમ અદાણીએ ટ્વીટ કરી આનંદ વ્યક્ત કર્યો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ એક ટ્વિટમાં કહ્યું છે કે અમે વર્લ્ડ ક્લાસ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport) નું સંચાલન સંભાળીને ખુશ છીએ. અમે મુંબઈને ગૌરવ અપાવવાનું વચન આપીએ છીએ. અદાણી ગ્રુપ મુંબઇ એરપોર્ટને બિઝનેસ, રજાઓ અને મનોરંજન માટે તૈયાર કરશે. હજારો લોકોને નોકરી પણ આપીશું.
We are delighted to take over management of the world class Mumbai International Airport. We promise to make Mumbai proud. The Adani Group will build an airport ecosystem of the future for business, leisure and entertainment. We will create thousands of new local jobs.
— Gautam Adani (@gautam_adani) July 13, 2021
હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કરેલી ટ્વીટમાં જ કહ્યું છે કે તેઓ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા હજારો લોકોને રોજગારી આપશે. અદાણી ગ્રુપ ભવિષ્યના વ્યવસાય, સુવિધા અને મનોરંજન માટે એરપોર્ટ ઇકોસિસ્ટમનો વિકાસ કરશે. ગૌતમ અદાણીએ લખ્યું છે કે સ્થાનિક લોકો માટે હજારો રોજગારની તકોનું સર્જન કરવામાં પણ કંપની સફળ રહેશે.
અદાણી ગ્રુપ પાસે 6 વિમાનમથકોનું સંચાલન મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના સંચાલનની સાથે સાથે અદાણી જૂથની પાસે અન્ય 6 એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી પણ છે. જેમાં તે ગુવાહાટી, લખનઉ, અમદાવાદ, મંગલુરુ, જયપુર અને તિરુવનંતપુરમ એરપોર્ટનો સમાવેશ થાય છે. AAHL પાસે હાલમાં દેશના 25% એરપોર્ટ ફૂટફોલ હતો, સાથે આહલ 33 ટકા કાર્ગો ટ્રાફિકનું પણ સંચાલન કરે છે.
આ પણ વાંચો : GUJARAT : વડાપ્રધાન મોદી 16 જુલાઈએ ગુજરાત નહીં આવે, રાજ્યના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે