Mumbai : વિદેશથી આવેલા 9 કોરોના પોઝિટિવ લોકોમાંથી 7 ઓમિક્રોન નેગેટિવ, 2ના રિપોર્ટ આવવાના બાકી

મુંબઈ સહિત મહારાષ્ટ્રના કુલ 30 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 16 સેમ્પલ મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 14 સેમ્પલ પુણેના NIVમાં મોકલવામાં આવ્યા છે.

Mumbai : વિદેશથી આવેલા 9 કોરોના પોઝિટિવ લોકોમાંથી 7 ઓમિક્રોન નેગેટિવ, 2ના રિપોર્ટ આવવાના બાકી
corona
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 3:06 PM

છેલ્લા થોડા દિવસથી વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ (New Variant of Corona) ઓમિક્રોનને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતમાં તેને લઇને સતર્કતા રાખવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસથી મુંબઈવાસીઓમાં (Mumbai) ઓમિક્રોન(Omicron)નો ભય વધુ જોવા મળતો હતો. કારણ કે ઉચ્ચ જોખમ ધરાવતા દેશોના કેટલાક લોકો કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મુંબઇવાસીઓ માટે હવે રાહતના સમાચાર છે. વિદેશથી આવેલા 9 લોકોનો ઓમિક્રોન ટેસ્ટ નેગેટિવ (Omicron Test Negative) આવ્યો છે, જ્યારે 2 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

જોખમવાળી શ્રેણીના દેશોમાંથી 485 લોકો આવ્યા હતા

ભારતે ઓમિક્રોન માટે ઉચ્ચ જોખમ ધરાવતા દેશોની યાદીમાં 11 દેશોને સ્થાન આપ્યું છે. આવા હાઈ રિસ્ક આફ્રિકન અને યુરોપિયન દેશોમાંથી 485 લોકો મુંબઈ આવ્યા છે. આ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 9 કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 7નો રિપોર્ટ આવી ગયો છે. આ તમામ લોકો ઓમિક્રોન નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે બાકીના 2 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બે દિવસમાં વિદેશથી 2868 લોકો આવ્યા

7 લોકોના રિપોર્ટ ઓમિક્રોન નેગેટિવ આવ્યા હોવા છતાં ખતરો ટળ્યો નથી. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. છેલ્લા બે દિવસમાં વિદેશથી 2868 લોકો મુંબઈ આવ્યા છે. આ તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. ઘણા લોકોના રિપોર્ટ આવી ગયા છે અને ઘણા લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

જે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે તેમની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે. કેટલાક સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. કેટલાકને મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈની કસ્તુરબા હોસ્પિટલના જિનોમ સિક્વન્સિંગ મશીનમાં એક સાથે 288 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે.

મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં વ્યવસ્થા

વિદેશમાંથી 10 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામની મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીઓમાં ખાસ વાત એ છે કે તેમનામાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. સેવન હિલ્સ સિવાય બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પણ ઓમિક્રોન શકમંદોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓમિક્રોન શકમંદોની સંખ્યા વધીને 14 થઈ

મુંબઈમાં ઓમિક્રોન શકમંદોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. વિદેશથી આવેલા 10 લોકોના સંપર્કમાં આવવાથી 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 2 ડિસેમ્બર સુધીમાં, 3136 મુસાફરો ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ પહોંચ્યા હતા. તેમાંથી 2149 મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 10 લોકો પોઝીટીવ મળી આવ્યા હતા. તેમના સંપર્કમાં આવ્યા બાદ 4 લોકો સંક્રમિત થયા હતા. હાલમાં મુંબઈમાં ઓમિક્રોન શકમંદોની કુલ સંખ્યા 14 છે.

મહારાષ્ટ્રમાંથી 30 સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

મુંબઈ સહિત મહારાષ્ટ્રના કુલ 30 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 16 સેમ્પલ મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 14 સેમ્પલ પુણેના NIVમાં મોકલવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં બે રીતે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પહેલો પેસેન્જર જે 1 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મુંબઈ આવ્યો હતો. બીજું, તે મુસાફરો કે જેઓ 30 નવેમ્બરની મધ્યરાત્રિ પછી શહેરમાં ઉતર્યા છે.

3 ડિસેમ્બર સુધીના ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં 7132 સક્રિય કોરોના દર્દીઓ મળી આવ્યા છે. મુંબઈમાં કોરોનાના 1886 સક્રિય દર્દીઓ છે. હાલમાં, મુંબઈ શહેરમાં કોવિડ વૃદ્ધિ દર 0.02 ટકા છે.

આ પણ વાંચોઃ Navy Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનોને પાઠવી શુભેચ્છા, કહ્યુ “નૌકાદળના યોગદાન પર અમને ગર્વ “

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">