Maharashtra : મુંબઈની ભાયખલા જેલમાં કોરોના વિસ્ફોટ, છ બાળકો સહિત 39 લોકો થયા સંક્રમિત

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 39 લોકો સંક્રમિત મળી આવ્યા છે.

Maharashtra : મુંબઈની ભાયખલા જેલમાં કોરોના વિસ્ફોટ, છ બાળકો સહિત 39 લોકો થયા સંક્રમિત
Byculla Jail (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 3:44 PM

Maharashtra : મુંબઈની ભાયખલા જેલમાં છેલ્લા 10 દિવસ દરમિયાન કેદીઓ અને છ બાળકો સહિત કુલ 39 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 39 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. હાલ, આ દર્દીઓને પાટણવાલા શાળામાં આઇસોલેટ (Isolate) કરવામાં આવ્યા છે.

ત્રણ મહિલા કેદીને જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે ગર્ભવતી (Pregnant Women) ત્રણ મહિલા કેદીને જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીએમસીના ઇ વોર્ડના મેડિકલ હેલ્થ ઓફિસરે જણાવ્યુ હતુ કે, હજુ સુધી જેલને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો નથી.

રાજ્યમાં ત્રીજી લહેરની તૈયારી પૂરજોશમાં

મહારાષ્ટ્રમાં એપ્રિલથી જૂન મહિના દરમિયાન કોવિડ -19 ની બીજી લહેર આવી હતી. આ સમય દરમિયાન સાત લાખ કેસોમાં 1850 મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ થયો હતો. જો કે કોવિડની બીજી લહેર (Corona Second Wave) દરમિયાન ઘણા ઉત્પાદકો પાસે ઓક્સિજનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાને કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે આ પ્રકારની સ્થિતિ ન બને તે માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ માર્ગદર્શિકા 24 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવી 

મહારાષ્ટ્રની અઘાડી સરકારની સૂચનાઓને ધ્યાનમાં રાખીને, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના કમિશનર દ્વારા રાજ્ય કક્ષાએ આ કામગીરી પર નજર રાખવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાએ આ કામ જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) દ્વારા કરવામાં આવશે અને મ્યુનિસિપલ કક્ષાએ આ કામ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો કાર્યવાહી કરવાની પણ આ અધિકારીઓને (Officers) સંપૂર્ણ સત્તા હશે. આ માર્ગદર્શિકા 24 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવી છે. આ નિયમો ઓર્ડરની તારીખથી લાગુ માનવામાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?

આ પણ વાંચો: પ્રેમિકા સાથે સંબંધ રાખીને છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરવો બળાત્કાર નથી: હાઇકોર્ટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">