Maharashtra : આ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે ફી નહીં ચૂકવવી પડે, વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ આ યોજના

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે 'કોવિડ-19 રોગચાળાને કારણે જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના માટે આ અમારી તરફથી એક નાનું આશ્વાસન છે.

Maharashtra : આ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે ફી નહીં ચૂકવવી પડે, વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ આ યોજના
Students - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:32 PM

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાને (Maharashtra Board Exam 2022) લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેનાથી કેટલાક વિદ્યાર્થીઓને રાહત મળશે. મહારાષ્ટ્ર સરકાર એવા બાળકો પાસેથી બોર્ડની પરીક્ષા ફી વસૂલશે નહીં જેમણે કોરોના રોગચાળાને કારણે તેમના માતા-પિતા ગુમાવ્યા છે. રાજ્ય સરકાર (Maharashtra Govt) મહારાષ્ટ્ર બોર્ડના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે ‘કોવિડ-19 રોગચાળાને કારણે જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના માટે આ અમારી તરફથી એક નાનું આશ્વાસન છે. તેઓએ મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા 2021-22ની ફી ચૂકવવાની રહેશે નહીં. અમે જાણીએ છીએ કે તેઓએ પહેલેથી જ ઘણું સહન કર્યું છે. પરંતુ તેનું શિક્ષણ ચાલુ રહેવું જોઈએ.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મહારાષ્ટ્ર એચ.એસ.સી. (Maharashtra HSC Exam 2022) અને એસ.એસ.સી. પરીક્ષાનું (Maharashtra SSC Exam 2022) સમયપત્રક મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા જાન્યુઆરી 2022માં સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in પર બહાર પાડવામાં આવશે. MSBSHSE 10મી અને 12મી બોર્ડ પરીક્ષાઓ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

મહારાષ્ટ્રમાં શાળાઓ ક્યારે ખુલશે ડિસેમ્બરથી મહારાષ્ટ્રમાં જુનિયર વર્ગો માટે શાળાઓ ખુલવાની તૈયારીમાં હતી. રાજ્ય સરકારે આ માટે માર્ગદર્શિકા અને SOP પણ જાહેર કર્યા હતા. પરંતુ કોરોના વાયરસ ઓમિક્રોનના (Omicron) નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો ન હતો. મુંબઈ, પુણે જેવા શહેરોમાં શાળાઓ ખોલવાની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. આ અંગે આગળનો નિર્ણય 15 ડિસેમ્બર 2021ના રોજ લેવામાં આવશે.

10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી (South Africa) મુંબઈ આવેલા વધુ નવ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, Omicron વેરિઅન્ટની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. દક્ષિણ આફ્રિકાથી આવેલા તમામ 9 મુસાફરોમાં કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. હાલ નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં અગાઉની જેમ ગાઈડલાઈન (Corona Guidelines) કડક કરવામાં આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા નવ લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : પરમબીર સિંહ સસ્પેન્ડ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ઝટકો, મહારાષ્ટ્ર સરકારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">