હનુમાન ચાલીસા વગાડવા માટે ઠેર ઠેર લાઉડસ્પીકર લગાવશે MNS, સંજય રાઉતે કહ્યુ આ ભાજપની છે ચાલ

રાજ ઠાકરેએ કહ્યું હતું કે, મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે ? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકરો પર વધુ ઊંચા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

હનુમાન ચાલીસા વગાડવા માટે ઠેર ઠેર લાઉડસ્પીકર લગાવશે MNS, સંજય રાઉતે કહ્યુ આ ભાજપની છે ચાલ
Raj Thackeray (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 7:27 AM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena) વડા રાજ ઠાકરેએ (Raj Thackeray) જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો લાઉડસ્પીકર (Loudspeaker) ઉપર હનુમાન ચાલીસા વગાડવાની ધમકી આપ્યાના એક દિવસ પછી, મુંબઈમાં તેમની પાર્ટીના એક કાર્યકર્તાએ આવું જ કર્યું. જોકે, પોલીસે રવિવારે તેની અટકાયત કરી હતી અને બાદમાં દંડ ભર્યા બાદ તેને છોડી મૂક્યો હતો અને ફરીથી આવું ન કરવા ચેતવણી આપી હતી.

આ પહેલા શનિવારે રાજ ઠાકરેએ મુંબઈમાં MNSની ગુડી પડવા રેલીમાં કહ્યું હતું કે, “મસ્જિદોમાં આટલા મોટા અવાજમાં લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે ? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર લાઉડસ્પીકર પર વધુ ઊંચા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

સ્થાનિક MNS કાર્યકર્તાઓ રવિવારે કલ્યાણમાં સાંઈ ચોક ખાતે પાર્ટી કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડયા હતા અને મોટેથી ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, MNS કાર્યકર મહેન્દ્ર ભાનુશાળીની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેણે એક ઝાડ પર લાઉડસ્પીકર લગાવ્યા હતા અને ઉપનગરીય મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં હનુમાન ચાલીસા વગાડ્યા હતા. ભાનુશાલીની અટક કરીને લાઉડ સ્પીકરનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, 5,500 રૂપિયાનો દંડ ભરીને લગભગ બે કલાક પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભાનુશાળીને આવા કૃત્યનું પુનરાવર્તન ન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

MNS હનુમાન ચાલીસા વગાડવા માટે વધુ લાઉડસ્પીકર લગાવશે

MNS કલ્યાણ એકમના પ્રમુખ ઉલ્હાસ ભોઇરે આ વિશે મીડિયાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ પાર્ટીના વડાના આદેશનું પાલન કરવામાં ક્યારેય અચકાશે નહીં.

પોલીસ કાર્યવાહીની નિંદા કરતા, ભાનુશાળીએ કહ્યું કે તેણે “આરતી કરવા” માટે હેરાન કરવામાં આવતા હતા. તેમણે કહ્યું, “રાજ ઠાકરેને જે કહેવું હતું, તે તેઓ કહી ચૂક્યા છે અને આદેશો આવી ગયા છે. અમે બુધવારથી દરરોજ સવારે અને સાંજે અમારી પાર્ટી ઓફિસમાં હનુમાન ચાલીસા વગાડીશુ. સામાન્ય રીતે, આ સવારે 7 અને સાંજે 5 વાગ્યે વગાડવામાં આવશે. પરંતુ ચોક્કસ સમય નક્કી કરવાનો બાકી છે. અમારો કોઈને ખલેલ પહોંચાડવાનો ઈરાદો નથી, પરંતુ દસ મિનિટ માટે અમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. આવતીકાલથી તૈયારી શરૂ થઈ રહી છે. અમે પહેલાથી જ લાઉડસ્પીકર માટે ઓર્ડર આપી દીધા છે.

રાજ ઠાકરેનું ભાષણ ભાજપ દ્વારા ‘સ્ક્રીપ્ટેડ અને પ્રાયોજિત : સંજય રાઉત

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેનું ભાષણ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા “‘સ્ક્રીપ્ટેડ અને પ્રાયોજિત” હતું.

ભાષણ પર પ્રતિક્રિયા આપતા, રાઉતે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે શિવાજી પાર્કમાં વગાડવામાં આવેલ લાઉડસ્પીકર ભાષણ “ભાજપ દ્વારા લખાયેલ અને પ્રાયોજિત” હતું. રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર એ રાજ્ય છે જ્યાં હજુ પણ કાયદો પ્રવર્તે છે. તેમણે કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી બધું જ કાયદા મુજબ કરશે અને મહારાષ્ટ્રમાં દેશનો કાયદો ચાલે છે.

આ પણ વાંચોઃ

RBI મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ફેરફાર નહીં કરે, નિષ્ણાતો અનુસાર વૃદ્ધિને ટેકો આપવા નિર્ણય લેવાઈ શકે છે

આ પણ વાંચોઃ

ખરેખર ! ચેક બાઉન્સ કેસમાં જાણીતા ફિલ્મમેકરને એક વર્ષની સજા, જાણો શું છે મામલો ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">