મહારાષ્ટ્રમાં CBIને ‘નો એન્ટ્રી’, CBIને રાજ્યમાં કોઈપણ કેસની તપાસ પહેલાં મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવી પડશે
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોઈપણ કેસમાં CBI તપાસ પર રોક લગાવી છે. સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીને આપવામાં આવેલી સહમતિ પરત લીધી છે. હવે CBIને રાજ્યમાં કોઈપણ કેસની તપાસ પહેલાં મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવાની રહેશે. આ પહેલાં રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવા બિનભાજપ શાસિત રાજ્યો પણ આવો નિર્ણય […]
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોઈપણ કેસમાં CBI તપાસ પર રોક લગાવી છે. સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીને આપવામાં આવેલી સહમતિ પરત લીધી છે. હવે CBIને રાજ્યમાં કોઈપણ કેસની તપાસ પહેલાં મહારાષ્ટ્ર સરકારની પરમિશન લેવાની રહેશે. આ પહેલાં રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવા બિનભાજપ શાસિત રાજ્યો પણ આવો નિર્ણય લઈ ચૂક્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી સુશાંત સિંહ રાજપૂત કેસને કોઈ અસર નહીં થાય તેનું કારણ એ છે કે સુશાંત કેસમાં તપાસ સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી થઈ રહી છે આ માટે સીબીઆઈએ અનુમતિ લેવાની જરૂર નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો