મહારાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, મુંબઈ-પુણે વચ્ચે ટુંક સમયમાં થશે શરૂઆત

આ રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન (Vande Bharat Trains) શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચે મુસાફરી કરવાનો સમય ઘટીને 150 મિનિટ અથવા અઢી કલાક થઈ જશે.

મહારાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, મુંબઈ-પુણે વચ્ચે ટુંક સમયમાં થશે શરૂઆત
Vande Bharat Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:29 PM

મુંબઈમાં (Mumbai) રેલ લાઈન જીવાદોરી છે. ત્યારે મુંબઈમાં ટુંક સમયમાં વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે. તેમજ મુંબઈ-પુણે રૂટની પસંદગી કરવામાં આવી છે. ભારતીય રેલ્વેની (Indian Railway) ટ્રેનોમાં સેમી-હાઈ સ્પીડ ટ્રેનો સૌથી ઝડપી છે. રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચે મુસાફરી કરવાનો સમય ઘટીને 150 મિનિટ અથવા અઢી કલાક થઈ જશે. જો કે રેલ્વે મંત્રાલયે હજુ તારીખ નક્કી કરવાની બાકી છે, પરંતુ બે નવી ટ્રેનો 15 ઓગસ્ટ સુધીમાં શરૂ થવાની ધારણા છે.

હાલમાં, બે શહેરો વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન ડેક્કન ક્વીન છે જેનો મુસાફરીનો સમય ત્રણ કલાક અને 10 મિનિટનો છે. સેન્ટ્રલ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે બંને શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે ટ્રેનોમાં ચેર કાર છે અને તે રૂટ પર સરળતાથી ચલાવી શકાય છે.”

મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થશે

હાલમાં, વંદે ભારત ટ્રેનોમાં તેની બેઠક વ્યવસ્થા તરીકે માત્ર ચેર કાર છે અને તેથી, મુંબઈ-પુણે રૂટ પસંદ કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય 2023 માં એસી સ્લીપર સાથે વંદે ભારત ટ્રેનનો ફેઝ 2 રજૂ કરશે, જે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશન વચ્ચે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. “અમે મુંબઈ અને પંજાબ વચ્ચે એસી સ્લીપર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવીએ છીએ. હાલમાં, બે રાજ્યો વચ્ચેની મુસાફરીમાં લગભગ 33 કલાકનો સમય લાગે છે, જેમાં ભારે ઘટાડો થશે,” તેમ વરિષ્ઠ મધ્ય રેલ્વે અધિકારીએ ઉમેર્યું હતુ.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વધુમાં, રેલ્વે મંત્રાલયે મે મહિનામાં ઝોનલ રેલ્વેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મઝગાંવ અને જોગેશ્વરી ખાતેના વાડી બંદર રેલ્વે યાર્ડનો ઉપયોગ જાળવણી માટે ડેપો બનાવવા માટે કરવામાં આવશે. મધ્ય અને પશ્ચિમ રેલ્વેને સ્થાનોનું નિરીક્ષણ કરવા અને વંદે ભારત ટ્રેનોના જાળવણી માળખાના વિકાસ અને અપગ્રેડેશનની યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

પરીવહન નિષ્ણાંતોએ વ્યક્ત કરી આ ચિંતા

વધુમાં પરીવહન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું કે,”તે ચોક્કસપણે કામ માટે નિયમિત મુસાફરી કરતા લોકોને મદદ કરશે કારણ કે તે મુસાફરીના કલાકો બચાવશે. જો કે, ઘાટ વિભાગમાં ઓપરેટિંગ સ્પીડ ચિંતાનો વિષય બની શકે છે. ઉપરાંત, તેઓએ ટ્રેનની ઝડપને નિયંત્રિત કરવા માટે ટ્રેકને અપગ્રેડ કરવો જોઈએ,”

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">