Maharashtra: પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને નથી મળી કોઈ રાહત, ખંડણી કેસમાં 14 દિવસ માટે લંબાવવામાં આવી ન્યાયિક કસ્ટડી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ED દ્વારા 2 નવેમ્બર, 2021 ના રોજ ખંડણી અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી (Maharashtra’s ex-Home Minister) અનિલ દેશમુખને રાહત મળી રહી નથી. ખંડણી અને મની લોન્ડરિંગના આરોપોથી ઘેરાયેલા દેશમુખની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ માટે લંબાવવામાં (Judicial Custody Extended) આવી છે. હાલમાં તેઓ મુંબઈની આર્થર રોડ જેલમાં (Mumbai Arthur road jail) બંધ છે. આ પહેલા તેમને મુંબઈની સ્પેશિયલ કોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો હતો. મંગળવારે (18 જાન્યુઆરી) મુંબઈની વિશેષ અદાલતે તેમની ડિફોલ્ટ જામીન અરજી ફગાવી દીધી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવેલા વસૂલાતના આરોપમાં કોર્ટે દેશમુખને જામીન આપ્યા નથી. EDનો આરોપ છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 વચ્ચે બાર માલિકો પાસેથી વસુલી કરવામાં આવી હતી, જે સચિન વાજે દ્વારા અનિલ દેશમુખ સુધી પહોચાડવામાં આવી હતી. ત્યાર પછી અનિલ દેશમુખે તે પૈસાનો ઉપયોગ પોતાના બિઝનેસમાં કર્યો હતો.
Maharashtra's ex-Home Minister Anil Deshmukh's judicial custody extended by another 14 days. He was arrested by ED on November 2nd, 2021 in connection with extortion and money laundering allegations against him.
He is currently lodged at Arthur road jail in Mumbai.
— ANI (@ANI) January 20, 2022
પરમબીર સિંહે દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
તમને જણાવી દઈએ કે મુંબઈમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. આ પછી તે કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તત્કાલિન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના પદેથી હટાવવામાં આવ્યા બાદ, પરમવીર સિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલેલા મેલમાં અનિલ દેશમુખ પર મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ પછી દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં દેશમુખના મની લોન્ડરિંગ સાથે જોડાયેલા મામલા પણ સામે આવ્યા હતા. 100 કરોડની વસૂલાત કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ તેમની સામે તપાસ શરૂ કરી હતી. અનિલ દેશમુખ હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.
દેશમુખ પર આરોપ લગાવનાર પરમબીર મંગળવારે પણ એસીબી સમક્ષ હાજર થયા ન હતા.
બીજી તરફ પરમબીર સિંહ પોતે રિકવરીના જુદા જુદા કેસોમાં સંડોવાયેલા છે અને લાંબા સમયથી ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થવા માટે અચકાતા હતા. બાદમાં, જ્યારે તેમને ધરપકડથી રક્ષણની ખાતરી આપવામાં આવી, ત્યારે તેઓ ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા. મંગળવારે (18 જાન્યુઆરી), પણ પરમબીર રિકવરી કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ હાજર થવામાં નિષ્ફળ ગયા. એસીબીના અધિકારીએ આ માહિતી આપી હતી.