Maharashtra : કોરોનાથી બગડતા હાલાત, શું ઉદ્ધવ ઠાકરે કેબીનેટ બેઠકમાં લેશે લોકડાઉનનો નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે બપોરે કેબિનેટની બેઠક બોલાવી છે.

Maharashtra : કોરોનાથી બગડતા હાલાત, શું ઉદ્ધવ ઠાકરે કેબીનેટ બેઠકમાં લેશે લોકડાઉનનો નિર્ણય
Maharashtra CM Uddhav Thackeray ( File Photo )
Follow Us:
| Updated on: Apr 04, 2021 | 5:19 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે બપોરે કેબિનેટની બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ આ બેઠકમાં લોકડાઉન અંગે મોટું પગલું ભરી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ 2 એપ્રિલે જનતાને સંબોધન કરતાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી ન હતી. તેમણે કહ્યું હતું કે લોકો બેદરકાર બની ગયા છે, જાહેર સ્થળોએ ભીડને રોકવા માટે એક-બે દિવસમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવે તો આર્થિક સ્થિતિ બગડશે. આપણે ધીરજથી કોરોના સામે લડવું જોઈએ. એકજૂથ થઈને આપણે કોરોના સામે યુદ્ધ લડવું પડશે. અમે આ માટે પણ પ્રયત્ન કર્યો છે. રાજ્યમાં 500 સ્થળોએ કોરોના પરીક્ષણની સુવિધા આપવામાં આવી છે.

Maharashtra માં એ બે રાજ્યોમાંથી  એક છે જ્યાં એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને પંજાબ એવા બે રાજ્યો છે જ્યાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કેબિનેટ સચિવની બેઠકમાં આ વાત કહી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો આપણે નજર કરીએ તો 23 માર્ચ સુધીના છેલ્લા સાત દિવસોમાં, મહારાષ્ટ્રમાં દૈનિક નવા કેસોનો વિકાસ દર 6.6 ટકા હતો અને પંજાબમાં તે 2.2 ટકા હતો. 31 માર્ચ પહેલાના બે અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં 4,26,108 કેસ નોંધાયા છે, જ્યારે પંજાબમાં સમાન સમયગાળામાં 35,754 કેસ નોંધાયા છે.

શનિવારે Maharashtraમાં કોવિડ -19 ના 49,447 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 29,53,523 થઈ ગઈ છે જ્યારે 277 વધુ દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 55,656 થઈ ગઈ છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મુંબઈ શહેરમાં કોવિડ -19 ના 9,108 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, દિવસ દરમિયાન કુલ 37,821 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 24,95,315 થઈ ગઈ છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">