મહારાષ્ટ્રને મળ્યા માત્ર 2 કરોડ વેક્સીનના ડોઝ, રાજ્યમાં આનાથી વધારે લોકો જોઈ રહ્યા છે પ્રથમ ડોઝની રાહ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધારે બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રસી માટે લાયક 70 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. 38 ટકા લોકોને બીજો ડોઝ પણ મળ્યો છે. પરંતુ હજુ પણ 21 મિલિયન લોકો રસીનો પ્રથમ ડોઝ લેવાની રાહ જોઈ રહ્યા છે.

મહારાષ્ટ્રને મળ્યા માત્ર 2 કરોડ વેક્સીનના ડોઝ, રાજ્યમાં આનાથી વધારે લોકો જોઈ રહ્યા છે પ્રથમ ડોઝની રાહ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:25 PM

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Corona in Maharashtra) હાલમાં નિયંત્રણમાં છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ દરમિયાન એન્ટી-કોરોના વાયરસ રસીકરણ ઝુંબેશને (Vaccination in Maharashtra)  વેગ આપવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં રાજ્યને હાલમાં રસીના માત્ર 2 કરોડ ડોઝ મળ્યા છે. રસીના પ્રથમ ડોઝની રાહ જોઈ રહેલા લોકોની સંખ્યા 20 મિલિયનથી વધુ છે. જાન્યુઆરી પછી એટલે કે રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી વધુ રસીનો સ્ટોક છે. તેમ છતાં તે જરૂરીયાત કરતાં ઓછો છે.

જો દેશની સરખામણીમાં જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બીજા નંબરનો સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રસી માટે લાયક 70 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે. 38 ટકા લોકોને બીજો ડોઝ પણ મળ્યો છે. રાજ્યમાં 21 કરોડ લોકો હજુ પણ રસીના પ્રથમ ડોઝની રાહ જોઈ રહ્યા છે. આથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફરી એકવાર રસીકરણની ઝુંબેશ તેજ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રસીકરણ અંગે જાગૃતિ અભિયાન ઝડપથી શરૂ થયું

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે રસીકરણ કાર્યક્રમમાં આવા ઉતાર-ચઢાવનો સમય આવતો જ રહે છે. તેથી ડોઝની માત્રાને ધ્યાનમાં લીધા વિના રસીકરણ માટે જાગૃતિ વધારતા રહેવું મહત્વપૂર્ણ છે. તેથી રસીકરણ અભિયાનનું વિશેષ સત્ર બોલાવીને સોશિયલ મીડિયા દ્વારા રસીકરણ સંબંધિત જાગૃતિ અભિયાન ચલાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

100 ટકા મુંબઈકરોએ પ્રથમ ડોઝ લીધો

મહારાષ્ટ્રના રસીકરણ કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના સાર્વજનિક કેન્દ્રોમાં રસીના 20 મિલિયન ડોઝનો સ્ટોક ઉપલબ્ધ છે. ખાનગી કેન્દ્રોમાં માત્ર 45થી 50 લાખ ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યના 35 જિલ્લામાંથી મુંબઈમાં રસી માટે લાયક 100 ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે.

આ સિવાય પૂણે, ભંડારા અને સિંધુદુર્ગ જિલ્લામાં 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. 9 જિલ્લામાં 80 ટકાથી વધુ લોકોએ અને 4 જિલ્લામાં 70 ટકાથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. લગભગ 16 જિલ્લામાં 60 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. નંદુરબાર અને બીડ જિલ્લામાં 57 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 10 કરોડ 59 લાખ લોકોએ રસી લીધી

શુક્રવારે રાજ્યમાં 4, 94,565 લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 10, 59, 77, 990 લોકોને રસી આપવામાં આવી છે. 12,94,151 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ તો 11,32, 386 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમરના 2,81,80,037 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,72,20,804 લોકોને બીજો ડોઝ મળ્યો છે. રાજ્યના 18થી 44 વર્ષની વયજૂથના 3,90,67,046 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 1, 50,57,623 લોકોને બીજો ડોઝ મળ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra : “રાજ્ય સરકાર મતની રાજનીતિ કરી રહી છે”, અમરાવતી હિંસાની તપાસને લઈને દેવેન્દ્ર ફડણવીસનો ચોંકાવનારો દાવો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">