Maharashtra crisis: મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત ! બળવાખોર ધારાસભ્યો સામે પગલા લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી

જયા ઠાકુરે કોર્ટ(Supreme Court) પાસે માગ કરી છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય તેમણે પોતાની અરજીમાં પક્ષપલટો કરનારા ધારાસભ્યો પર ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

Maharashtra crisis: મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત ! બળવાખોર ધારાસભ્યો સામે પગલા લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી
The Supreme Court has dismissed the petition.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:32 AM

Maharashtra : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ(Maharashtra Political Crisis)  વચ્ચે કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પોતાની અરજીમાં તેણે કોર્ટ પાસે માગ કરી છે કે શિવસેનાના (Shiv sena) બળવાખોર ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય તેમણે પોતાની અરજીમાં પક્ષપલટો કરનાર ધારાસભ્યો પર ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાડવાની પણ માગ કરી છે.

ધારાસભ્યોનો પક્ષપલટો ગેરબંધારણીય : જયા ઠાકુર

જયાએ પોતાની અરજીમાં(Petition)  કહ્યું છે કે, ધારાસભ્યોનું પક્ષપલટો ગેરબંધારણીય છે. જયા ઠાકુરે(jaya Thakur)  કહ્યું કે રાજકીય પક્ષો દેશના લોકતાંત્રિક માળખાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આ મામલે કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. જયાએ કહ્યું કે તેમની દલીલ લોકશાહીમાં પક્ષની રાજનીતિના મહત્વ અને બંધારણ હેઠળ સુશાસનની સુવિધા માટે સરકારમાં સ્થિરતાની જરૂરિયાત સાથે સંબંધિત છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર જયાએ કહ્યું, “આપણે અસંમતિ અને પક્ષપલટા વચ્ચેની રેખા સ્પષ્ટ કરવાની જરૂર છે, જેથી લોકતાંત્રિક મૂલ્યોને અન્ય બંધારણીય બાબતો સાથે સંતુલિત રાખી શકાય.” તમને જણાવી દઈએ કે, અરજીમાં 2017માં મણિપુર વિધાનસભા અને 2019માં કર્ણાટક વિધાનસભા અને 2020માં મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજકીય સંકટનો પણ ઉલ્લેખ છે. જયા ઠાકુરે પોતાની અરજીમાં કહ્યું છે કે ગયા વર્ષે પણ તેમણે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)  અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે કેવી રીતે પક્ષપલટા વિરોધી કાયદાની અવગણના કરીને સરકારને નીચે લાવવામાં આવી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હું CM પદ છોડવા માટે તૈયાર છું, એકવાર આગળ આવીને કહો : ઉદ્ધવ ઠાકરે

બળવાખોર શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેના(Eknath Shinde)  બળવાને કારણે સરકાર સામે આવી રહેલી કટોકટી અંગે પોતાનું મૌન તોડતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો બળવાખોર ધારાસભ્યો જાહેર કરે કે તેઓ ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માગતા નથી, તો તેઓ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.અને પદ છોડવા માટે તેઓ તૈયાર હોવાનુ પણ જણાવ્યુ. તેમણે કહ્યું કે જો શિવસૈનિકોને લાગે છે કે ઠાકરે પાર્ટીનું નેતૃત્વ કરવા સક્ષમ નથી તો તેઓ શિવસેના પ્રમુખ પદ પણ છોડવા તૈયાર છે.

વધુમાં ઠાકરેએ કહ્યું, ‘તમે સુરત(Surat)  અને અન્ય જગ્યાએથી નિવેદનો કેમ આપો છો ? મારી સામે આવો અને મને કહો કે હું મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખના હોદ્દા સંભાળવા સક્ષમ નથી. હું તરત જ રાજીનામું આપીશ. હું મારું રાજીનામું તૈયાર રાખીશ અને તમે આવીને રાજભવન લઈ જઈ શકો છો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">