Maharashtra Political Crisis : મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે : સૂત્રો

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ((Uddhav Thackeray) રાજીનામુ નહિ આપે તેવી માહિતી સૂત્રોએ આપી છે. તેમજ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીના નિર્ણય સાથે રહેવા માટે સંમત થયા હતા

Maharashtra Political Crisis :  મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે : સૂત્રો
Uddhav Thackeray (File)Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 6:31 PM

મહારાષ્ટ્રમાં(Maharashtra)  ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે ઠાકરે કેબિનેટની(Cabinet) બેઠક સાંજે પાંચ વાગે બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ((Uddhav Thackeray) રાજીનામુ નહિ આપે તેવી માહિતી સૂત્રોએ આપી છે. તેમજ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીના નિર્ણય સાથે રહેવા માટે સંમત થયા હતા.કેબિનેટની બેઠકમાં મંત્રીઓએ સીએમ ઉદ્ધવ ઠાકરેને તમામ સત્તાઓ આપી દીધી અને કહ્યું કે, જો સરકારને બરખાસ્ત કરવી હોય તો કેબિનેટની બેઠક યોજવાની જરૂર નથી. ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે માન્ય રહેશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ઉદભવેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ફરી એકવાર બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક સંદેશ આપ્યો છે. જેમાં તેમણે ધારાસભ્યોને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે. ઉદ્ધવે પોતાના સંદેશમાં કહ્યું કે માત્ર બળવાખોર ધારાસભ્યોએ તેમની સાથે એકવાર વાત કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં તેમની સરકાર પર છવાયેલા સંકટના વાદળ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને ભાવનાત્મક સંદેશ જાહેર કરીને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંદેશમાં કહ્યું કે તમે છેલ્લા કેટલાક દિવસોથી ગુવાહાટીમાં છો. તમારા વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે, તમારામાંથી ઘણા લોકો સંપર્કમાં પણ છે. તમે હજુ પણ શિવસેનામાં છો. તમારામાંથી કેટલાક ધારાસભ્ય પરિવારના સભ્યોએ પણ મારો સંપર્ક કર્યો છે અને તેમની લાગણીઓ મને જણાવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઉદ્ધવ ઠાકરેએ  બળવાખોર ધારાસભ્યોને આ અપીલ કરી હતી

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને પોતાના સંદેશમાં વધુમાં કહ્યું કે હું શિવસેના પરિવારના વડા તરીકે તમારી ભાવનાઓનું સન્માન કરું છું. પરિવારના વડા તરીકે, હું તમને હૃદયથી કહું છું. આમાં એક રસ્તો છે. ચાલો સાથે બેસીને રસ્તો કાઢીએ. તેમણે કહ્યું કે કોઈના ખોટી વાતોમાં ના આવો, શિવસેનાએ જે સન્માન આપ્યું છે તે ક્યાંય નથી મળી શકતું, તમે અહિયાં આવીને બોલશો તો રસ્તો મોકળો થશે. શિવસેના પક્ષના વડા અને પરિવારના વડા તરીકે મને હજુ પણ તમારી ચિંતા છે.

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે આ પહેલા પણ બળવાખોર ધારાસભ્યોને આવી ભાવનાત્મક અપીલ કરી ચૂક્યા છે. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિને જોતા એવું લાગે છે કે શિવસેનાના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકાર પર ખતરો વધી રહ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">