મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલોની નર્સો અનિશ્ચિત હડતાળ પર; જાણો શું છે કારણ
મુંબઈ (Mumbai) સહિત સરકારી હોસ્પિટલોની 15,000થી વધુ નર્સો હડતાળ પર છે. મહારાષ્ટ્ર રાજ્ય નર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કહ્યું કે જો તેમની માંગણીઓ 28 મે સુધીમાં સંતોષવામાં નહીં આવે તો તેઓ અનિશ્ચિત સમયની હડતાળ પર જશે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) ખાનગી એજન્સી દ્વારા નર્સોને આઉટસોર્સ કરવાના ઉદ્ધવ સરકારના નિર્ણય સામે ગુરુવારે રાજ્યની સરકારી હોસ્પિટલોની 15 હજાર નર્સોએ (Maharashtra Nurses Strike) કામ બંધ કરી દીધું હતું. હડતાલના પરિણામે, સરકાર સંચાલિત જેજે હોસ્પિટલમાં પૂર્વ નિર્ધારિત સર્જરીઓમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે દર્દીઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય નર્સ એસોસિએશનના (Maharashtra State Nurse Association) જનરલ સેક્રેટરી સુમિત્રા તોટેએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ 28 મે સુધીમાં પૂરી નહીં થાય તો તેઓ અનિશ્ચિત હડતાળ પર જશે અને શુક્રવારે પણ ચાલુ રહેશે.
આઉટસોર્સથી શોષણનું જોખમ વધશે
સુમિત્રાએ કહ્યું, જો નર્સોની ભરતી આઉટસોર્સ કરવામાં આવે છે, તો તેમના શોષણનું જોખમ રહેશે અને તેમને ઓછું મહેનતાણું મળશે. તેમને આવકના વૈકલ્પિક સ્ત્રોતો શોધવાની ફરજ પાડવામાં આવશે. તેનાથી તેમના કામ પર અસર પડશે જેની દર્દીઓ પર તાત્કાલિક અસર પડશે.
15 હજારથી વધુ નર્સો હડતાળ પર છે
તેમણે કહ્યું કે મુંબઈ સહિત સરકારી હોસ્પિટલોની 15,000થી વધુ નર્સો હડતાળ પર છે. તેમણે કહ્યું કે MSNAએ નર્સિંગ અને શિક્ષણ ભથ્થાની પણ માંગણી કરી છે. તોટેએ કહ્યું કે કેન્દ્ર અને કેટલાક રાજ્યો 7,200 રૂપિયાનું નર્સિંગ ભથ્થું આપે છે. તોટેએ કહ્યું કે તેનો લાભ મહારાષ્ટ્રની નર્સોને પણ મળવો જોઈએ.
આઉટસોર્સિંગની જરૂર નથી
મહારાષ્ટ્ર સ્ટેટ નર્સ એસોસિએશન સાથે સંકળાયેલા પ્રવક્તાઓનું કહેવું છે કે હવે મહામારીનો સમય નથી કે સરકારે મોટી સંખ્યામાં નર્સોની ભરતી કરવી પડે, તેથી તેઓ તેમને આઉટસોર્સિંગ કરી રહ્યા છે. આ સાથે રાજ્યની નર્સોને ઓછા પગારમાં અને પ્રમોશન વિના સંતોષ માનવો પડશે. સંગઠનનું કહેવું છે કે અત્યાર સુધી નર્સોની નિમણૂક થઈ છે, તે જ રીતે થવી જોઈએ.
હડતાળથી દર્દીઓને અસર થશે
નર્સો હડતાળ પર જતાં દર્દીઓને માઠી અસર થઈ રહી છે. જેજે હોસ્પિટલના ડીન ડૉ. દીપાલી સાપલે જણાવ્યું હતું કે એક દિવસમાં ત્રીસ ઈમરજન્સી સર્જરી કરવામાં આવે છે, જ્યારે સામાન્ય દિવસે લગભગ 70-80 સર્જરી કરવામાં આવે છે. તેમણે કહ્યું, અમારી પાસે નર્સિંગના વિદ્યાર્થીઓ પણ છે, તેથી અમે 183 વિદ્યાર્થી નર્સોને 12 કલાકની શિફ્ટમાં મૂકી છે.