Maharashtra: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ કારણથી રદ કર્યો હતો અયોધ્યા પ્રવાસ, આપ્યુ આ નિવેદન

રાજ ઠાકરેએ (Raj Thackeray) પૂણેમાં એક રેલી દરમિયાન કહ્યું કે લાઉડસ્પીકર બંધ કરવાની જાહેરાત બાદ તેમણે કહ્યું કે તેઓ અયોધ્યા જશે. ત્યારપછી મને સમજાયું કે આ બધું ટ્રેપ છે.

Maharashtra: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ કારણથી રદ કર્યો હતો અયોધ્યા પ્રવાસ, આપ્યુ આ નિવેદન
Raj Thackeray (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 9:08 PM

મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 5 જૂને યોજાનારી તેમની અયોધ્યા મુલાકાત મુલતવી રાખી છે. પૂણેમાં તેમની સભાની શરૂઆત પહેલા તેમણે કહ્યું “છેલ્લા બે દિવસ પહેલા, મેં મારી અયોધ્યા યાત્રા સ્થગિત કરવા અંગે ટ્વીટ કર્યું હતું. આ દરમિયાન મેં એક ઈરાદાપૂર્વકનું નિવેદન આપ્યું હતું, જેથી દરેકને તેમના પ્રતિસાદ આપવાની તક મળે. જે લોકો મારા અયોધ્યા પ્રવાસની વિરુદ્ધ હતા, તેઓ મને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મેં આ વિવાદમાં ન પડવાનું નક્કી કર્યું.

મનસેના વડા રાજ ઠાકરેએ કહ્યું કે હું તાજેતરમાં પૂણે આવ્યા બાદ બીમાર હતો. તે દરમિયાન મારા પગ અને કમરમાં ઘણી સમસ્યા હતી. એટલા માટે તે સમયે મેં મુંબઈ જઈને સારવાર શરૂ કરી હતી. જો કે, હજુ પણ તબીબો દ્વારા સારવાર ચાલુ છે અને આગામી 1લી તારીખે ઓપરેશન કરવામાં આવશે. આવી સ્થિતિમાં હું આ બધું એટલા માટે કહી રહ્યો છું કારણકે ખબર નથી કે આવતીકાલે પત્રકાર મિત્રો ક્યા સમાચાર બનાવવાનું શરૂ કરશે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

ઠાકરેએ કહ્યું- જે મારી અયોધ્યા મુલાકાતની વિરુદ્ધ હતા તેઓ મને ફસાવવાની કોશિશ કરી રહ્યા હતા

અયોધ્યા પ્રવાસ રદ થવાથી લોકો નારાજ

રાજ ઠાકરેએ પૂણેની રેલીને સંબોધિત કરતા કહ્યું કે એક દિવસ પહેલા જ્યારે મેં અયોધ્યા પ્રવાસ થોડા સમય માટે સ્થગિત કર્યો હતો. આ દરમિયાન ઘણા લોકો તેમનાથી નારાજ થયા. આમાં ઘણા લોકો ભાષણો પણ કરી રહ્યા હતા. એટલા માટે છેલ્લા 2 દિવસથી હું કંઈ બોલ્યો નહીં, લોકોને જે બોલવું હોય તે બોલવા દો, પરંતુ આજે હું મારી ભૂમિકા મહારાષ્ટ્ર અને દેશને જણાવીશ, રાજ ઠાકરેએ પૂણેમાં જ લાઉડસ્પીકર બંધ કરવાની જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે હું અયોધ્યા જશે. ત્યારપછી મને અયોધ્યા આવવા દેવામાં નહીં આવે તેવો નિવેદનો શરૂ થઈ ગયા હતા. તે પછી મને સમજાયું કે આ બધી ટ્રેપ છે. જેમાં મારે ફસાઈ ન જવું જોઈએ. જો કે, આ બધી વસ્તુઓ મહારાષ્ટ્રથી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં જે લોકોને એ પસંદ નથી કે મારે અયોધ્યા જવું જોઈએ. તેણે મારી વિરુદ્ધ ઘણું કર્યું પરંતુ હું ચોક્કસ જઈશ.

યુપી ભાજપ સાંસદે કર્યો હતો વિરોધ

આ દરમિયાન ઉત્તર પ્રદેશના ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અયોધ્યા આવતા પહેલા ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ માફી માંગે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ ઠાકરે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી તેમને ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

Latest News Updates

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">