Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા

મુક્તાઈનગર અને બોધવડ નગરપાલિકાના 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાઈ રહ્યા છે. આ તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાશે.

Maharashtra: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભાજપને મોટો ફટકો, 11 કોર્પોરેટરો શિવસેનામાં જોડાયા
જલગાંવ જિલ્લાના 11 કોર્પોરેટરોએ ભાજપનો સાથ છોડ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 11:22 PM

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ફટકો પડ્યો છે. જલગાંવમાં ભાજપમાં પક્ષનો અંદરનો અસંતોષ ખુલ્લીને સામે આવ્યો છે. જિલ્લાની મુક્તાઈનગર અને બોધવડ નગરપાલિકાના 11 કોર્પોરેટરો શિવસેનામાં (Shiv Sena) જોડાઈ રહ્યા છે. આ તમામ કોર્પોરેટરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) હાજરીમાં શિવસેનામાં જોડાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જલગાંવ જિલ્લાના 11 કોર્પોરેટરોએ ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. જલગાંવ જિલ્લાના આ તમામ કોર્પોરેટરો એકનાથ ખડસેના (Eknath Khadse) સમર્થક હોવાનું કહેવાય છે. યાદ અપાવી દઈએ કે એકનાથ ખડસે અગાઉ ભાજપમાં હતા. જ્યારે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચાઈ ત્યારે તેઓ નારાજ થયા હતા. કારણકે તેઓ પોતાને મુખ્યમંત્રી પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનતા હતા.

ફડણવીસ સરકારની રચના પહેલા તેઓ વિપક્ષના નેતા પણ હતા. બાદમાં ભાજપ છોડીને તેઓ એનસીપીમાં (NCP) ગયા. જ્યારથી તેઓ એનસીપીમાં (NCP) જોડાયા છે, ત્યારથી તેઓ ભાજપને એક યા બીજી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં જમીન કૌભાંડના કેસમાં તેમની સામે ઈડીની તપાસ ચાલી રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એકનાથ ખડસે ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે, શું આ ઈડીની કાર્યવાહીનો બદલો છે ?

મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે મની લોન્ડરિંગ કેસનો સામનો કરી રહ્યા છે. પુણે જમીન કૌભાંડ કેસમાં તેમના પર કાર્યવાહી કરીને ઇડીએ તેમની 5.73 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તેમનું એક બેંક ખાતું પણ સીલ કરવામાં આવ્યું છે. તે ખાતામાં કુલ 86 લાખ રૂપિયા જમા થયા હતા. આ સિવાય લોનાવાલામાં એક બંગલો, જલગાંવમાં ત્રણ ફ્લેટ અને જમીન પણ મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ તમામ મિલકતો એકનાથ ખડસે, તેમની પત્ની મંદાકિની ખડસે અને જમાઈ ગિરીશ ચૌધરીના નામે છે.

જ્યારે એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે જો મારી પાછળ ઇડી લગાવાશે તો હું સીડી બહાર કાઢીશ (ભાજપ સાથે જોડાયેલા લોકોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીશ). પરંતુ ઈડી (ED) ની તપાસ શરૂ પણ થઈ ગઈ છે, લોકો ખડસેની સીડીની રાહ જોઈ રહ્યા છે. ખડસે સીડી લાવી શક્યા નથી, પરંતુ ભાજપને નુકસાન પહોંચાડવાની કોઈ તક છોડતા નથી. 11 કોર્પોરેટરોનું ભાજપમાંથી છૂટા થવું અને શિવસેનામાં જોડાવું એ ખડસેના વેરનું ઉદાહરણ છે.

આ પણ વાંચો :  School Reopening in Maharashtra : વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી ખુલશે શાળાઓ

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">