મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલને કોરોના, ભગતસિંહ કોશ્યારીને હોસ્પિટલમાં ખસેડાયા

કે,વિધાનપરિષદ ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રનો રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેનાના કદાવર નેતા શિંદે સાથે 40 જેટલા ધારાસભ્યોએ ગુવાહાટીમાં ધામા નાખ્યા છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલને કોરોના, ભગતસિંહ કોશ્યારીને હોસ્પિટલમાં ખસેડાયા
Bhagatsingh Koshyari (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:50 AM

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ(Maharashtra Political Crisis)  વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી કોરોના સંક્રમિત થયા છે.જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મહત્વનું છે કે, આજે બપોરે કદાવર નેતા એકનાથ શિંદે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના હતા. તેમજ સરકારમાં 2/3 ધારાસભ્યો શિવસેનાના(Shivsena)  હોવાનો દાવો કરવાના હતા.

તમને જણાવી દઈએ કે,વિધાનપરિષદ ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રનો રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેનાના કદાવર નેતા શિંદે સાથે(Eknath Shinde)  40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવો પોકાર્યો છે. અહેવાલો મુજબ સોમવારથી જ એકનાથ શિંદે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. મંગળવારે શિંદે સાથે 40 જેટલા ધારાસભ્યોએ સુરતમાં (Surat) ધામા નાખ્યા હતા.પરંતુ રાજકીય હલચલ તેજ થતા તેઓ ગુવાહાટી(Guvahati)  પહોંચી ગયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

“તમે તમારું જુઓ, અમે અમારૂ જોઈ લઈશુ.”- એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackearay) સાથે ફોન પર ચર્ચા કરતી વખતે એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું, “તમે તમારું જુઓ, અમે અમારૂ જોઈ લઈશુ.” એકનાથ શિંદેએ પણ ખુલ્લેઆમ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉત(Sanjay Raut)  સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, પાર્ટીએ મને ધારાસભ્ય દળના નેતા પદ પરથી કેમ હટાવ્યો ? મેં ન તો નવો પક્ષ બનાવ્યો કે રાજીનામું આપ્યું, તો પછી આ નિર્ણય કેમ લીધો ? કોઈપણ રીતે, મને વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તો પછી આ નિર્ણયનો આધાર શું છે ? હું માત્ર પક્ષના ભલા માટે જ માંગ ઉઠાવી રહ્યો છું, મારા અંગત સ્વાર્થ માટે નહીં.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનને પરાજયનો સામનો કર્યાના એક દિવસ બાદ શિવસેનાના મંત્રી એકનાથ શિંદે અને કેટલાક અન્ય ધારાસભ્યોએ બળવો કર્યો છે. ગુજરાતમાં સુરતની હોટેલમાં ધામા નાખ્યા બાદ બળાવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે.મહત્વનું છે કે, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">