પ્લાસ્ટિક કોટિંગવાળા સામાનો પર શિંદે-ફડણવીસ સરકારે લગાવ્યો પ્રતિબંધ, મહારાષ્ટ્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
કેન્દ્ર સરકારે 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic) પર પ્રતિબંધ મૂક્યો છે. સીએમ શિંદેએ મહારાષ્ટ્રમાં આ નિયમનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રની (Maharashtra) શિંદે-ફડણવીસ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં પ્લાસ્ટિકના (Plastic Ban) ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અંતર્ગત રાજ્ય પ્રશાસને આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic) પર પ્રતિબંધ મૂક્યો છે. સીએમ શિંદેએ મહારાષ્ટ્રમાં આ નિયમનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.
આ પ્રતિબંધ સરળતાથી નાશ પામતા ન હોય તેવા હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના ઢગલાઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે મહારાષ્ટ્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય
રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધનો અસરકારક અમલ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ 7મી જુલાઈના રોજ મહારાષ્ટ્ર પ્લાસ્ટિક અને થર્મોકોલ પ્રોડક્ટ્સ સંબંધિત નોટિફિકેશન 2018માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ જ નિર્ણય હેઠળ રાજ્ય સરકારે 15મી જુલાઈના રોજ જાહેરનામા દ્વારા પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશન સાથેના ઉત્પાદનો પર પણ પ્રતિબંધ લાદ્યો હતો.
પ્લાસ્ટિક કોટેડ ડીશ, કપ, પ્લેટ, ગ્લાસના ઉત્પાદન પર બ્રેક
આ સુધારેલા નિયમો હેઠળ રાજ્યમાં પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશન પેપર અથવા એલ્યુમિનિયમ જેવી વસ્તુઓથી બનેલી ડિસ્પોઝેબલ ડીશ, કપ, પ્લેટ, ગ્લાસ, ચમચી, બાઉલ, વાસણો વગેરેના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવસેને દિવસે વધતા પ્લાસ્ટિકના કચરાને નીચે લાવવા માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
પ્લાસ્ટિકના કચરાથી ગામડા અને શહેર માટે વધી રહ્યો છે ખતરો
રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દિન પ્રતિદિન વધતા પ્લાસ્ટિકના કચરાના વધતા જોખમને જોતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બજારોમાં પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળી ડિશ, કન્ટેનર, ગ્લાસ, કપ વગેરે પેપર પ્રોડક્ટસ તરીકે વેચવામાં આવી રહ્યા છે. આ કચરાનું રિસાઈકલિંગ કરવું સંભવ નથી. આ કચરાને જળાશયોમાં ફેંકી દેવામાં આવે છે. રિસાઈકલિંગ ના થઈ શકવાના કારણે તેને રાત્રે સળગાવી દેવામાં આવે છે. તેનાથી પ્રદુષણ વધે છે.