Maharashtra: ઠાકરે સરકારે ખેડૂતો માટે ખોલી તિજોરી, વરસાદથી નાશ પામેલા પાક માટે આપશે 10 હજાર કરોડનું વળતર

ખેડૂતોને ભારે વરસાદના કારણે નાશ પામેલા પાકનું વળતર આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતની જમીનના આકારને ધ્યાનમાં લીધા વિના, ખેડૂતોને બે હેક્ટર સુધી પાકના નુકસાન માટે વળતર મળશે.

Maharashtra: ઠાકરે સરકારે ખેડૂતો માટે ખોલી તિજોરી, વરસાદથી નાશ પામેલા પાક માટે આપશે 10 હજાર કરોડનું વળતર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 10:20 PM

મહારાષ્ટ્ર સરકારે બુધવારે એવા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જેમના પાકને રાજ્યમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણે અહીં મુંબઈમાં સંયુક્ત રીતે આની જાહેરાત કરી હતી.

એક નિવેદનમાં, સરકારે જણાવ્યું હતું કે, “આ વર્ષે જૂન અને ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદને કારણે 55 લાખ હેક્ટરથી વધુ જમીન પર કૃષિ પાકને નુકસાન થયું છે. ખેડૂતોને કેટલીક સહાય પૂરી પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

બે હેક્ટરથી વધુ માટે વળતર આપવામાં આવશે નહીં

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખેડૂતોને ભારે વરસાદના કારણે નાશ પામેલા પાકનું વળતર આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતની જમીનના આકારને ધ્યાનમાં લીધા વિના, ખેડૂતોને બે હેક્ટર સુધી પાકના નુકસાન માટે વળતર મળશે.

કેટલું વળતર મળશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે સહાય વિતરણ માટે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ) સંબંધિત કોઈ વધારે નિર્દેશોની રાહ ન જોવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને બિન સિંચાઈ જમીન પર પાક નુકશાન માટે હેક્ટર દીઠ રૂપિયા 10,000 મળશે, જ્યારે સિંચાઈવાળી જમીન પર પાક નુકશાન માટે હેક્ટર દીઠ  15,000 રૂપિયા મળશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અસરગ્રસ્ત ખેડૂતોને 12 વર્ષીય પાક માટે હેક્ટર દીઠ 25,000 રૂપિયા મળશે, જેમાં બાગાયત હેઠળના પાકનો સમાવેશ થાય છે.

ખેડૂતોએ મદદ માંગી હતી

વરસાદને કારણે નાશ પામેલા પાક અંગે ખેડૂતો મદદ માટે સતત વિનંતી કરી રહ્યા હતા. મરાઠાવાડમાં બીડ, ઓરંગાબાદ, ઉસ્માનાબાદ અને લાતુરમાં સૌથી વધુ નુક્સાન થયુ હતું. જ્યારે નાસિક, અહમદનગર, ધુલે અને સોલાપુરમાં પણ નુકસાન થયું હતું. નાંદેડમાં વરસાદને કારણે પાક ખરાબ થઈ ગયો હતો.  અતિશય વરસાદને કારણે ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો.

મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ હતું. ભારે વરસાદના કારણે લોકોની સ્થીતી કફોડી બની હતી. તો બીજી બાજુ ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. પરંતુ બાદમાં વરસાદનું જોર વધ્યું હતું. રાજકોટ અને જામનગર જીલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. કેટલાક ગામડાઓમાં લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ હતું.

આ પણ વાંચો :  દેશની પ્રથમ Digital Bank ટૂંક સમયમાં કાર્યરત થશે, RBI એ Centrum અને BharatPeના કન્સોર્ટિયમને Small Finance Bank નું લાઇસન્સ આપ્યું

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">