Maharashtra : બોઈસરમાં કાપડની ફેક્ટરીમાં ધમાકા બાદ ભીષણ આગ, ચાર લોકો ઘાયલ
આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગિરી હાથ ધરવામાં આવી છે.
Maharashtra : મહારાષ્ટ્રના બોઇસર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ઝખારિયા ફેબ્રિક લિમિટેડમાં (Jakharia Fabric Ltd.) ધમાકા બાદ ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે, આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની (Fire brigade)ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, હાલ બચાવ કામગિરી શરૂ કરવામાં આવી છે.
Four injured in a fire that broke out due to an explosion at Jakharia Fabric Ltd in Boisar, Maharashtra. Police and fire tender at the spot. pic.twitter.com/HPMKTdw2d4
— ANI (@ANI) September 4, 2021
થાણેના અંબરનાથ વિસ્તારમાં કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ વિસ્તારમાં માનકોલી MIDCમાં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. થાણે પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના વડા સંતોષ કદમના (Santosh Kadam) જણાવ્યા અનુસાર, ત્રણ માળની ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા પરિસરમાં રાખવામાં આવેલ કાપડનો સ્ટોક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. લાંબી જહેમત બાદ આ ભીષણ આગ (Fire)પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
પૂણેના ઉરુલીમાં પણ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી
તાજેતરમાં જ પૂણેના ઉરુલીના દેવચી ગામમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આ અકસ્માતમાં પાંચ મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ઘાયલ મજૂરોને પણ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જે સ્થળે આ દુર્ઘટના થઈ તે પુણેથી લગભગ 20 કિમીના અંતરે સ્થિત છે.