મહારાષ્ટ્રના પૂર્વગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી રાહત ન મળી, વિશેષ PMLA કોર્ટે 13 મે સુધી ન્યાયિક કસ્ટડી વધારી

વિશેષ પીએમએલએ કોર્ટે (Special PMLA Court) અનિલ દેશમુખની (Anil Deshmukh) ન્યાયિક કસ્ટડી (Judicial Custody) 13 મે સુધી લંબાવી છે. એટલે કે તેમને આગામી 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે.

મહારાષ્ટ્રના પૂર્વગૃહપ્રધાન અનિલ દેશમુખને ફરી રાહત ન મળી, વિશેષ PMLA કોર્ટે 13 મે સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Anil Deshmukh (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:19 PM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) ફરી રાહત મળી નથી. વિશેષ પીએમએલએ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 13 મે સુધી લંબાવી છે. એટલે કે તેમને હવે આગામી 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે. અનિલ દેશમુખ ઉપરાંત બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે, અનિલ દેશમુખના અંગત સચિવ સંજીવ પલાંડે અને તેમના અંગત સહાયક કુંદન શિંદેની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. 100 કરોડના રિકવરી કેસ અને અન્ય મની લોન્ડરિંગ કેસમાં CBI અને ED દ્વારા તપાસના સંદર્ભમાં ED દ્વારા દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. અનિલ દેશમુખને સીબીઆઈ દ્વારા મુંબઈની આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. CBI કસ્ટડીમાં તેની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તેમને ફરી એકવાર ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આજે (29 એપ્રિલ, શુક્રવાર) અનિલ દેશમુખને કસ્ટડીની મુદત પૂરી થતાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. દેશમુખ ઉપરાંત સચિન વાજે, સંજીવ પલાંડે અને કુંદન શિંદેને પણ 13 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે.

100 કરોડની રિકવરી અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં અત્યાર સુધીના અપડેટ્સ

અનિલ દેશમુખ પર આરોપ છે કે ગૃહમંત્રીના પદ પર રહીને તેમણે મુંબઈના પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડની વસૂલાત કરવા માટે રોક્યા હતા. આ આરોપ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લગાવ્યો છે. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પછી હાઈકોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ તપાસ દરમિયાન મની લોન્ડરિંગના અન્ય કેસ પણ ખુલતા ગયા. મની લોન્ડરિંગ કેસની તપાસ માટે EDની એન્ટ્રી થઈ હતી. આ પછી અનિલ દેશમુખના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ચાંદીવાલ કમિશને ક્લીનચીટ આપી, પરંતુ દેશમુખની મુશ્કેલી ઓછી થઈ નહીં

આ દરમિયાન, રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ ઉત્તમચંદ ચાંદીવાલની અધ્યક્ષતામાં ચાંદીવાલ કમિશનની રચના પણ કરી હતી. મંગળવારે ચાંદીવાલ કમિશને પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. ચાંદીવાલ પંચે પોતાના રિપોર્ટમાં અનિલ દેશમુખને ક્લીનચીટ આપી છે.

આ પણ વાંચો :  ભાજપના ધારાસભ્યનો શિવસેના પર ઈલેક્ટ્રિક બસ ટેન્ડરમાં ગોટાળાનો આરોપ, કહ્યું- વિદેશી કંપનીને ફાયદો કરાવવાનો પ્રયાસ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">