ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને આપ્યા અભિનંદન, કહ્યું- આશા છે કે સારા કામ કરશે

સૌ કોઈને એ તો ખબર હતી કે રાજ્યમાં ભાજપ (BJP) હવે શાસન કરશે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે સત્તાની કમાન ફડણવીસને બદલે એકનાથ શિંદે (Eknath Shinde) પાસે જશે.

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેને આપ્યા અભિનંદન, કહ્યું- આશા છે કે સારા કામ કરશે
Uddhav Thackeray & Eknath Shinde (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 12:02 AM

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રની (Maharashtra) સત્તા સંભાળતાની સાથે જ તેમના માટે અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ મોટા નેતાઓએ તેમને મુખ્યમંત્રી પદ માટે અભિનંદન પાઠવ્યા હતા. હવે પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ મહારાષ્ટ્રની નવી સરકારને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે બંને રાજ્યમાં સારું કામ કરશે. જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે, રાજ્યના સીએમ તેઓ નહી પરંતુ એકનાથ શિંદે હશે, તેમને ચારે બાજુથી અભિનંદન મળવા લાગ્યા.

NCP નેતા શરદ પવારે ફોન કરીને એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના હિતમાં કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે એકનાથ શિંદે શિવસેનામાંથી બળવો કરીને ધારાસભ્યો સાથે સુરત ગયા હતા. ત્યાંથી તેઓ ગુવાહાટી અને પછી ગોવા પહોંચ્યા. શિંદેએ 45થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. જેના કારણે ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે મહા વિકાસ આઘાડીએ બળવાખોર શિંદે અને અન્ય ધારાસભ્યોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ એક ન સાંભળ્યું.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ઉદ્ધવે એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન

તમામ રસ્તાઓ બંધ થયા ત્યારે ઉદ્ધવે આપ્યું રાજીનામું

આઘાડી સરકારને બચાવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા ત્યારે આખરે ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ મહારાષ્ટ્રથી દૂર રહેતા બળવાખોર એકનાથ આજે મુંબઈ પરત આવ્યા હતા અને સીધા દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. બંને નેતાઓ ત્યાંથી રાજભવન પહોંચ્યા અને સીધા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. બધાને ખબર હતી કે હવે રાજ્યમાં ભાજપની સરકાર બનશે, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે સત્તાની કમાન ફડણવીસને બદલે એકનાથ શિંદેના હાથમાં જશે.

કદાચ ફડણવીસને પણ ખ્યાલ ન હતો…

એવું માનવામાં આવતું હતું કે ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. કદાચ ફડણવીસને પણ ખ્યાલ ન હતો કે સરકારમાં તેમનું સ્થાન બીજા નંબરનું હશે. જો કે, ફડણવીસે છેલ્લી ઘડીએ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા કે એકનાથ શિંદે સીએમ બનશે, તેઓ નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારમાં તેમની કોઈ ભૂમિકા રહેશે નહીં. તે ફક્ત બહારથી જ ટેકો આપશે. પરંતુ બાદમાં જેપી નડ્ડા સામે આવ્યા અને સ્પષ્ટ કર્યું કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">