MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનપ્રધાન સંજય રાઠોડનું રાજીનામું
ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનમંત્રી સંજય રાઠોડ (SANJAY RATHOD)એ રાજીનામું આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનમંત્રી સંજય રાઠોડ (SANJAY RATHOD)એ રાજીનામું આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના વનપ્રધાન સંજય રાઠોડે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ વનપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડનું નામ આવતા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ વિપક્ષ કડક પગલા લેવા દબાણ કરી રહ્યા હતા, આ તમામ ઘટના વચ્ચે સંજય રાઠોડે વનપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.
22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં વિવાદ વધતા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 24 ફેબ્રુઆરીએ વનપ્રધાન સંજય રાઠોડે સમન્સ પાઠવ્યું હતું. વિવાદ વકર્યો ત્યારથી સંજય રાઠોડ જાહેરમાં જોવા મળ્યા ન હતા, પરંતુ મંગળવારે તેઓ વાશીમ જિલ્લાના એક મંદિરમાં પહોંચ્યા હતા. અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.
આ પણ વાંચો: Dahod: સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઈ.વી.એમ. તોડવાની ઘટના આવી સામે