Maharashtra Political Crisis: દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા, ફ્લોર ટેસ્ટની માંગ કરી
મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતાની સાથે જ તેમણે કેટલાક ખાસ નેતાઓ સાથે મુલાકાત કરી અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા સીધા રાજભવન ગયા હતા
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં(Maharashtra) સતત ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડનવીસે(Devendra fadnavis ) આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે અંદાજે 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ દેવેન્દ્ર ફડનવિસે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. તેમજ બહુમત સાબિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતાની સાથે જ તેમણે કેટલાક ખાસ નેતાઓ સાથે મુલાકાત કરી અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા સીધા રાજભવન ગયા હતા. તેમણે એકનાથ શિંદે જૂથના બળવા બાદ મહા વિકાસ અઘાડી લઘુમતીમાં આવી ગઈ છે. આ દાવો કરીને ફડણવીસે રાજ્યપાલના હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે અઘાડી સરકારને બહુમત સાબિત કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. ફડણવીસે જણાવ્યું કે રાજ્યપાલને ધારાસભ્યોનો ઈમેઈલ મળ્યો છે. ઉદ્ઘવ સરકાર ફલોર ટેસ્ટ આપે તેવી માંગણી અમે કરી છે. 39 ધારાસભ્યો MVAના સમર્થનમાં નથી તેવું ફડણવીસે જણાવ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
મહા વિકાસ અઘાડી લઘુમતીમાં હોવાનો દાવો કરીને, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલની દરમિયાનગીરી માંગી શકે છે અને મહા વિકાસ અઘાડીને બહુમતી સાબિત કરવા માટે અપીલ કરી શકે છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ પછી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી ન હતી અને એરપોર્ટથી સીધા જ મુંબઈ ગયા હતા. મુંબઈ આવતાની સાથે જ ભાજપના નેતાઓ તેમને મળવા સાગર બંગલા સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. ટૂંકી બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ સીધા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા રાજભવન પહોંચ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ સમક્ષ ચાર બાબતો મૂકી શકે છે
ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સમક્ષ ચાર બાબતો મૂકી શકે છે. એક, ફડણવીસ રાજ્યપાલ સમક્ષ સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની અરજીની નકલ રાજ્યપાલને આપી શકે છે. બીજી આ અરજીના આધારે તેઓ મહા વિકાસ અઘાડી લઘુમતીમાં હોવાનો દાવો કરી શકે છે. ત્રીજી સરકાર લઘુમતીમાં છે તેથી રાજ્યપાલને હસ્તક્ષેપ કરવા માંગ કરી શકે છે. ચોથી વાત બહુમતી સાબિત કરવા માટે મહા વિકાસ અઘાડીને આદેશ આપવા રાજ્યપાલને વિનંતી કરી શકે છે.