Maharashtra: MVA સરકારને બચાવવા શરદ પવાર મેદાનમાં ઉતર્યા, સિલ્વર ઓકમાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, હવે દિલ્હી જવા રવાના થશે

આ દરમિયાન વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાના નોમિનેશનમાં હાજરી આપવા શરદ પવાર (Sharad pawar) દિલ્હી જઈ રહ્યા છે. જેને લઈને પણ તૈયારીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

Maharashtra:  MVA સરકારને બચાવવા શરદ પવાર મેદાનમાં ઉતર્યા, સિલ્વર ઓકમાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, હવે દિલ્હી જવા રવાના થશે
મહારાષ્ટ્ર કટોકટીનો સામનો કરવા માટે શરદ પવારે સિલ્વર ઓક ખાતે મહત્વની બેઠક યોજી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 12:38 PM

આજે (26 જૂન, રવિવાર) મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો (Maharashtra Political Crisis) છઠ્ઠો દિવસ છે. એકનાથ શિંદે (Eknath Shinde)જૂથના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં એકજુથ થયા છે. ત્યાં તેમણે 30 જૂન સુધી હોટલ બુક કરાવી લીધી છે. એટલે કે બળવાખોર ધારાસભ્યોનું જૂથ અત્યારે મેદાનમાંથી પીછેહઠ કરવાનું નથી. મહારાષ્ટ્રની કટોકટી જલ્દી દૂર થવાની નથી. આવી સ્થિતિમાં એનસીપી મહા વિકાસ આઘાડી સરકારને બચાવવા માટે શરદ પવાર (Sharad pawar) મેદાનમાં ઉતર્યા છે. આજે તેમણે તેમના મુંબઈ અવલ ‘સિલ્વર ઓક’માં મહા વિકાસ આઘાડીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી અને આઘાડીના નેતાઓને જોરશોરથી કાનૂની લડાઈ લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

શરદ પવાર આ પહેલા બે-ત્રણ વખત સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી ચૂક્યા છે. શિંદેના બળવા પછી મહા વિકાસ અઘાડી સરકારે તેની લડાઈને કેવી રીતે આગળ વધારવી જોઈએ તે અંગે ચર્ચા થઈ રહી છે. આ બેઠકમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ શરદ પવારની સલાહ છે કે કાયદાકીય લડાઈને એકલા શિવસેનાની લડાઈ ન ગણવી જોઈએ પરંતુ મહા વિકાસ આઘાડી અને મહા વિકાસ આઘાડીના નેતાઓએ સાથે મળીને આ લડાઈને આગળ વધારવી જોઈએ.

અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શું કરવું, આ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

શિવસેનાના અનિલ દેસાઈ અને અનિલ પરબ, કોંગ્રેસના અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ, એનસીપીના અજિત પવાર અને પ્રફુલ પટેલની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને આ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી કે જો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે તો મહા વિકાસ આઘાડી શું કરી શકે? આ સમગ્ર સંકટમાં રાજ્યપાલની ભૂમિકા શું હોઈ શકે? ભાજપ શું રમત રમી શકે? વિધાનસભાના નાયબ અધ્યક્ષની સત્તા શું છે?

બળવાખોરોને મોકલવામાં આવેલી નોટિસ સામે તેઓ કોર્ટમાં ગયા તો કેવી રીતે લડવું ?

આ બેઠકમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને પણ ચર્ચા થઈ હતી. ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર એકનાથ શિંદે જૂથ વતી અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, શિંદે જૂથનો દાવો છે કે ડેપ્યુટી સ્પીકરે તેમના 16 ધારાસભ્યોને ગેરલાયકાતની નોટિસ આપી છે, તેમની પાસે તે અધિકાર નથી. આવી સ્થિતિમાં જો શિંદે જૂથ આ નોટિસને પડકારશે તો કોર્ટમાં કેવી રીતે લડાઈ લડવી તે અંગે ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં આઘાડી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.

પ્રોટેમ સ્પીકરની નિમણૂક પર ચર્ચા, શરદ પવારે આ સલાહ આપી

આવી સ્થિતિમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરીને તમામ નિર્ણયો લેવા પર બેઠકમાં ચર્ચા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ દેસાઈ અને અનિલ પરબને કાયદાકીય લડાઈ લડવાની જવાબદારી લેવાનું કહેવામાં આવ્યું છે. તેઓ શરદ પવારને તમામ અપડેટ આપતા રહેશે અને તેમની સલાહ લેતા રહેશે.

પવાર આજે દિલ્હી જશે, રાષ્ટ્રપતિની ચૂંટણી કે મહારાષ્ટ્રના સંકટનો સામનો કરવાની હોડ ?

દરમિયાન, શરદ પવાર વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાના નોમિનેશનમાં હાજરી આપવા માટે દિલ્હી જઈ રહ્યા છે. તેમની ફ્લાઈટ બપોરે 2.40 વાગ્યે છે. સવાલ એ છે કે તેઓ દિલ્હી એટલા માટે જ જઈ રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં સંકટનો સામનો કરવા માટે ત્યાં કેટલાક ખાસ લોકોને મળવાની તૈયારીનો કાર્યક્રમ છે. દરેકની નજર આના પર છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">