Maharashtra Corona Update: એક્ટિવ દર્દીઓના આંકડાં ડરામણા, કોરોનાના 4255 નવા કેસ અને ત્રણ દર્દીઓના મોત
બુધવારે, કોરોનાના 4024 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો, આજે નવા કેસોમાં 200 થી વધુનો વધારો થયો છે. સાથે જ કોરોના સંક્રમણને (Corona) કારણે ત્રણ દર્દીઓના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 4,255 નવા કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, સક્રિય કેસ વધીને 20,634 થઈ ગયા છે. બુધવારે, કોરોનાના 4024 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો, આજે નવા કેસોમાં 200 થી વધુનો વધારો થયો છે. સાથે જ કોરોના સંક્રમણને (Corona) કારણે ત્રણ દર્દીઓના મોત થયા છે. આજે રાજ્યમાં 2879 દર્દીઓને સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,72,916 સેમ્પલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 79,23,697 સેમ્પલ સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં Omicron ના નવા BA.5 વેરિઅન્ટના વધુ બે દર્દીઓ સામે આવ્યા છે. આ દર્દીઓ નાગપુરમાં મળી આવ્યા છે.
કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે
Maharashtra reports 4,255 new COVID19 cases today; Active cases rise to 20,634 pic.twitter.com/pbumBcIJms
— ANI (@ANI) June 16, 2022
નાગપુરમાં BA.5 વેરિઅન્ટના વધુ 2 દર્દીઓ મળ્યા
મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસ વધીને 20,634 થઈ ગયા છે. બુધવારે બીજે મેડિકલ કોલેજ પુણેના રિપોર્ટ અનુસાર, BA.5 વેરિઅન્ટના 4 દર્દીઓ મળી આવ્યા હતા. આજે વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. નાગપુરમાં BA.5 વેરિઅન્ટના વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. એક દર્દીની ઉંમર 29 વર્ષ અને બીજા દર્દીની ઉંમર 54 વર્ષ છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી આવી છે. આ બંને દર્દીઓ કેરળ અને મુંબઈ ગયા હતા. જો કે તે બંને સંપૂર્ણપણે વેક્સીનેટેડ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં BA.4 અને BA.5ના 19 કેસ નોંધાયા છે.
મુંબઈમાં કાબુ બહાર જઈ રહી છે કોરોનાની રફ્તાર
મુંબઈમાં કોરોનાના 13005 કેસ, થાણેમાં 3978, પાલઘરમાં 625 અને રાયગઢમાં 709 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જો આ સ્થિતિ ચાલુ રહી તો ચોથી લહેરનો ખતરો વધી શકે છે. મોટાભાગના સંક્રમણના કેસો રાજધાની મુંબઈમાંથી આવી રહ્યા છે. મુંબઈમાં કોરોનાની ઝડપ વધી રહી છે, બુધવારે કોરોના રિકવરી રેટ 97 ટકા નોંધાયો હતો. મુંબઈમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ પણ નોંધાઈ રહ્યા છે.
દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસમાં પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેમજ અનેક રાજ્યોમાં માસ્ક ફરી ફરજિયાત કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.