Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં અટકી રહી છે કોરોનાની રફ્તાર, કોરોનાના 11 હજાર કેસ આવ્યા, ઓમીક્રોનનો એક પણ કેસ નહી

મુંબઈમાં શનિવારે 643 કોરોના કેસ નોંધાયા છે અને તેનાથી બમણાથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. શનિવારે મુંબઈમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1402 રહી છે.

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં અટકી રહી છે કોરોનાની રફ્તાર, કોરોનાના 11 હજાર કેસ આવ્યા, ઓમીક્રોનનો એક પણ કેસ નહી
Corona Cases In India - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:05 PM

મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના સંબંધિત સૌથી મોટી અપડેટ એ છે કે અહીં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા કોરોના સંક્રમિત દર્દીઓથી બમણી થવા લાગી છે. હવે સમગ્ર મહારાષ્ટ્રમાંથી જેટલા નવા કેસો સામે આવી રહ્યા છે તેટલા કેસો થોડા અઠવાડિયા પહેલા એકલા મુંબઈથી દરરોજ આવતા હતા. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 11 હજાર 394 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 21 હજાર 667 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા છે. બીજી મોટી અપડેટ એ છે કે શનિવારે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ દર્દી સામે આવ્યો નથી. મુંબઈ (Mumbai Corona Update) વિશે વાત કરીએ તો, BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શનિવારે 643 નવા કેસ નોંધાયા છે અને 1402 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

આ દરમિયાન મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાને કારણે 68 લોકોના મોત પણ થયા છે. આ રીતે, રાજ્યમાં હાલમાં મૃત્યુ દર 1.83 ટકા છે. હાલમાં રાજ્યમાં ઓમિક્રોનના પણ 3 હજાર 334 દર્દીઓ છે. તેમાંથી 1701 લોકો ઓમિક્રોનમાંથી સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંબંધિત સ્થિતિ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 75 લાખ 13 હજાર 436 લોકોએ કોરોનાને માત આપી છે. આ રીતે રાજ્યમાં હાલમાં કોરોના રિકવરી રેટ 96.40 ટકા છે. હાલમાં 7 લાખ 95 હજાર 422 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે. આ સિવાય 2447 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7 કરોડ 54 લાખ 10 હજાર 43 લોકોનું લેબમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુંબઈમાં અત્યાર સુધી કોરોના સંબંધિત સ્થિતિ

મુંબઈમાં અત્યાર સુધીની કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો પૂરા વિશ્વાસ સાથે કહી શકાય કે મુંબઈએ કોરોના પર ખૂબ જ સારી રીતે નિયંત્રણ મેળવી લીધું છે. મુંબઈમાં શનિવારે 643 કોરોના કેસ નોંધાયા છે અને તેનાથી બમણાથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે.

શનિવારે મુંબઈમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1402 રહી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 10 લાખ 24 હજાર 991 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકા છે. આ રીતે, હાલમાં કુલ સક્રિય દર્દીઓ 6367 છે. કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાનો સમયગાળો 666 દિવસ સુધી પહોંચી ગયો છે. 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી કોરોના ગ્રોથ રેટ 0.10 ટકા હતો.

આ પણ વાંચો :  શિરડી સાઈ સંસ્થાન: જાણો શા માટે કરોડો રૂપિયાનું દાન બન્યું આફત ? કેવી રીતે આવશે આ સમસ્યાનો અંત ? જાણો સમગ્ર હકીકત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">