Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા
સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમે થાણે, નાસિક, સાંગલી, અહેમદ નગર અને પુણે સહિત 12 સ્થળોએ સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે. ગઈકાલે સીબીઆઈએ 12 સ્થળોએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન સીબીઆઈને આ કેસથી જોડાયેલાં ઘણાં મહત્વનાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા હાથ લાગ્યાં છે.
અનિલ દેશમુખ પ્રકરણમાં એક પછી એક નવાં ખુલાસાઓ થઈ રહ્યાં છે. અને નવાં નવાં વળાંકો આવી રહ્યાં છે. આ કેસની તપાસ CBI કરી રહી છે. ત્યાંરે 100 કરોડના વસુલાત પ્રકરણમાં CBI એ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, અહેમદનગર અને મુંબઇમાં ડીસીપી રાજુ ભુજબલ તેમજ પુણે અને મુંબઇમાં એસીપી સંજય પાટિલના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિકવરી કેસમાં (અનિલ દેશમુખ કેસ) સીબીઆઈની તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ ગઈકાલે પાડેલા દરોડાની કાર્યવાહી આજે બુધવારે પણ ચાલુ રાખી છે. દરોડાની કાર્યવાહી મહારાષ્ટ્રના બે પોલીસ અધિકારીઓના ઘરે પણ હાથ ધરવામાં આવી છે.
તપાસમાં મહત્વનાં દસ્તાંવેજ અને ઇલેક્ટ્રોનિક પુરાવા પોલીસને મળ્યાં
સીબીઆઈએ ડીસીપી રાજુ ભુજબલના અહમદ નગરના ઠેકાણાં પર પણ દરોડા પાડ્યા હતા. પુણેમાં એસીપી સંજય પાટિલના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમે થાણે, નાસિક, સાંગલી, અહેમદ નગર અને પુણે સહિત 12 સ્થળોએ સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે. ગઈકાલે સીબીઆઈએ 12 સ્થળોએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન સીબીઆઈને આ કેસથી જોડાયેલાં ઘણાં મહત્વનાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા હાથ લાગ્યાં છે.
મુંબઇ-થાણે વસુલાંત કેસમાં પરમબીરની નજીક ગણાતા પોલીસ અધિકારીઓની બદલી.
આ દરમિયાન, મુંબઇ-થાણેના આ વસુલાત કેસમાં પરમબીરની નજીક ગણાતા પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં બે ડીસીપી, બે એસપી અને એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના નામનો ઉલ્લેખ છે. આ બધા લોકો ઉપર પરમવીરસિંહ સાથે ખંડણીના કામમાં સામેલ હોવાનો આરોપ છે.
તેમના નામ છે- ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અકબર પઠાણ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી EOW) પરાગ માનારે, આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર (એસીપી) સંજય પાટિલ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) શ્રીકાંત શિંદે, પોલીસ નિરીક્ષક આશા કોંરકે. તે તમામ લોકોને લોકલ આર્મ્સ યુનિટમાં મોકલવામાં આવ્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે, પરમવીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને રાજ્યપાલને એક સનસનીખેજ પત્ર લખ્યો હતો અને તેમાં મોટાં ખુલાસાઓ પણ કર્યા હતાં જેના કારણે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું.