Maharashtra: CBI કોર્ટે અનિલ દેશમુખની જામીન અરજી ફગાવી, જેલમાં જ વિતાવવી પડશે દિવાળી
તમને જણાવી દઈએ કે અનિલ દેશમુખને ED મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. જો સીબીઆઈના 100 કરોડના રિકવરી કેસમાં પણ તેમને જામીન મળ્યા હોત તો દેશમુખ પોતાના ઘરે દિવાળી મનાવી શક્યા હોત.
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. મુંબઈ સેશન્સ કોર્ટ હેઠળની સ્પેશિયલ સીબીઆઈ (CBI) કોર્ટના આ નિર્ણય બાદ અનિલ દેશમુખની દિવાળી હવે મુંબઈની આર્થર રોડ જેલમાં વિતાવવી પડશે. હાલ દેશમુખ તેમની તબિયત લથડતા મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ છે. તમને જણાવી દઈએ કે અનિલ દેશમુખને ED મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. જો સીબીઆઈના 100 કરોડના રિકવરી કેસમાં પણ તેમને જામીન મળ્યા હોત તો દેશમુખ પોતાના ઘરે દિવાળી મનાવી શક્યા હોત.
અનિલ દેશમુખના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે અનિલ દેશમુખની ઉંમર અને સ્વાસ્થ્યને જોતા તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. તેણે ED કેસમાં જામીન મળવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સીબીઆઈએ અનિલ દેશમુખના જામીનનો વિરોધ કરતા કહ્યું કે, બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેના નિવેદનને અવગણી શકાય નહીં. દેશમુખ સામેના આરોપો ગંભીર છે. તેમને જામીન આપવાથી કેસ પર અસર પડી શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે અનિલ દેશમુખના જામીન નામંજૂર કર્યા હતા.
અનિલ દેશમુખ હાઈકોર્ટમાં જઈ શકે છે
સીબીઆઈ કોર્ટે અનિલ દેશમુખ ઉપરાંત તેમના અંગત સચિવ સંજીવ પલાંડેની જામીન અરજી પણ ફગાવી દીધી છે. અનિલ દેશમુખ છેલ્લા 11 મહિનાથી જેલમાં છે. હવે અનિલ દેશમુખ જામીન માટે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો કોઈ વાત ન થાય તો તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે.
EDના મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે
અનિલ દેશમુખને ઇડીના મની લોન્ડરિંગ કેસમાં 4 ઓક્ટોબરે જામીન મળ્યા હતા. આ પછી દેશમુખ પરિવારને આશા હતી કે તેમને 100 કરોડની રિકવરી કેસમાં અને ઓફિસના દુરુપયોગના CBI કેસમાં પણ જામીન મળશે. પરંતુ આ થઈ શક્યું નહીં. અનિલ દેશમુખની ઉંમર હાલ 71 વર્ષની છે. તેઓ બીમાર થતા રહે છે. આ સમયે પણ તે મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ છે. તેથી દેશમુખના વકીલે મેડિકલ ગ્રાઉન્ડ પર કોર્ટ સમક્ષ જામીનની માગ કરી હતી. પરંતુ કોર્ટે કેસની ગંભીરતાને જોતા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
2 નવેમ્બર 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી
અનિલ દેશમુખની ઇડી દ્વારા 2 નવેમ્બર 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે મુંબઈની આર્થર રોડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહ્યા છે. પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તેને મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે તેમને એન્જીયોગ્રાફી માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.