Maharashtra: શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, ‘સેવા દિવસ’ના રૂપમાં 16 દિવસ સુધી ઉજવાશે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ
દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે આજે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સેવા દિવસની ઉજવણી કરવામાં આવશે જે પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી ચાલશે.
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારની કેબિનેટ આજે એટલે કે સોમવારે યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) જન્મદિવસને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. શિંદે કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પીએમ મોદીના જન્મદિવસને ‘સેવા દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. PM મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે આજે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સેવા દિવસની ઉજવણી કરવામાં આવશે જે પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી ચાલશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સપ્તાહ રાષ્ટ્રીય નેતાથી રાષ્ટ્રપિતા સુધી ચાલશે. આ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાં જે ગામો જોખમમાં છે તેની માહિતી લઈને તેમને સલામત સ્થળે લઈ જવા અંગેની માહિતી એકત્ર કરવા જણાવાયું છે અને તેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. શિવસેના અને શિંદે જૂથ વચ્ચેના ઘર્ષણ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
લમ્પી રોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના
બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આજે રાજ્યના પશુધન વિકાસ વિભાગના અધિકારીઓને પશુઓમાં લમ્પી રોગને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અને તેના ફેલાવાને રોકવા માટે પગલાં લેવા જણાવ્યું છે. એક નિવેદનમાં, મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે અને આજે મળેલી કેબિનેટ બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં હાજર રહીને લમ્પી રોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવવા અને લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા જણાવ્યું હતું. આ સાથે અધિકારીઓને રોગ અંગે જાગૃતિ અભિયાન ચલાવવા અને લોકોને તાત્કાલિક મદદ કરવા માટે તેમના વિસ્તારોમાં હાજર રહેવા જણાવ્યું હતું.
લોકો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો
આ સાથે આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટોલ ફ્રી નંબર 18002330418 સાથે રાજ્ય સ્તરીય કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1962 લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગયા અઠવાડિયે પશુઓમાં લમ્પી વાયરસના ફેલાવાને રોકવા માટે સમગ્ર રાજ્યને ‘કન્ટેન્ડ ઝોન’ જાહેર કર્યું હતું. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં લમ્પી વાયરસના ચેપને કારણે 22 પશુઓના મોત થયા છે, રાજ્યના પશુપાલન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી છે.