મહાગઠબંધન પર મહા મુસીબત, ત્રીજા મોરચામાં પણ ભંગાણની સ્થિતિ?
લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી તમામ પાર્ટીઓ હાલ ગઠબંધન કરવું કે નહીં તેના અસમંજસમાં છે. એક તરફ શિવસેના-ભાજપ ગઠબંધનની સમસ્યા હલ થઈ રહી નથી ત્યાં તેમની સામે હામ ભીડવા તૈયાર થઈ રહેલા મહા ગઠબંધનમાં પણ ભંગાણ પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેનું કારણ છે કે તમામ નાની-મોટી પાર્ટીઓ કોંગ્રેસ-એનસીપી પાસે કરી રહી છે વધુમાં વધુ સીટોની […]
લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી તમામ પાર્ટીઓ હાલ ગઠબંધન કરવું કે નહીં તેના અસમંજસમાં છે. એક તરફ શિવસેના-ભાજપ ગઠબંધનની સમસ્યા હલ થઈ રહી નથી ત્યાં તેમની સામે હામ ભીડવા તૈયાર થઈ રહેલા મહા ગઠબંધનમાં પણ ભંગાણ પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
તેનું કારણ છે કે તમામ નાની-મોટી પાર્ટીઓ કોંગ્રેસ-એનસીપી પાસે કરી રહી છે વધુમાં વધુ સીટોની માગ.
શિવસેના- ભાજપ ગઠબંધન હોય કે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ત્રીજા મોરચાનું મહા ગઠબંધન હોય, બન્નેમાંથી એકની પણ વાત બનતી જોવા નથી મળી રહી. શિવસેના-ભાજપ એક-બીજા પ્રત્યે કૂણા પડ્યા હોવાનું ચિત્ર તો જોવા મળે છે, પરંતુ વાત આગળ વધી નથી. ત્યાં ત્રીજો મોરચો બને એ પહેલાં જ તેમાં ભંગાણ પડ્યું છે.
કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન તો કર્યું અને સમાન સીટો પર લડવાનું પણ નક્કી કર્યું. સાથે એવો નિર્ણય પણ લેવાયો કે મહા ગઠબંધનમાં જે કોઈ આવે તેના માટે કોંગ્રેસ-એનસીપી પોતપોતાના કોટામાંથી સીટ આપે.
અગાઉ ભારિપ બહુજન મહાસંઘે 12 સીટો માંગી, વાત ન બની તો સ્વબળે લડવાની વાત કરી. સાથે જ, સ્વાભિમાની શેતકરી પક્ષ પણ આક્રમક બન્યો છે. આમ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખાતરી છે કે તેમનું મહા ગઠબંધન તો બનીને જ રહેશે.
તો બીજી તરફ શિવસેના-ભાજપ ગઠબંધન કોકડાનો હલ પણ આવતો દેખાતો નથી. એક બાજુ બંધબારણે આ અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ જાહેરામાં આ ગઠબંધન વિશે તેમનામાંથી કોઈ કંઈ બોલવા તૈયાર જ નથી. જોકે આગામી 8 દિવસમાં ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થાય તેવું દેખાઈ રહ્યું છે.
[yop_poll id=1076]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]