Kurla Building Collapse: મુંબઈના કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં અત્યાર સુધીમાં 10ના મોત, સરકારે 5 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે બીએમસીએ 2013 થી ઘણી વખત મુંબઈ (Mumbai) મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ હેઠળ બિલ્ડિંગને રિપેર કરાવવા, પછી ખાલી કરાવવા અને તોડી પાડવા માટે નોટિસ પાઠવી હતી.

Kurla Building Collapse: મુંબઈના કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં અત્યાર સુધીમાં 10ના મોત, સરકારે 5 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
Kurla Building Collapse
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:56 PM

મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈના (Mumbai) કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં મૃતકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. આ અકસ્માતમાં લગભગ 13 લોકો ઘાયલ થયા છે. કુર્લાની (Kurla Building Collapse) નાઈક નગર સોસાયટીમાં આવેલી એક રહેણાંક ઈમારતની એક વિંગ સોમવારે મોડી રાત્રે ધરાશાયી થઈ ગઈ હતી. ઘાયલોને ઘાટકોપર અને સાયનની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા નવ લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

BMC કમિશનર ચહલે કહ્યું કે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા છે, જ્યારે પોલીસને શંકા છે કે કાટમાળ નીચે વધુ લોકો હોઈ શકે છે. ચહલે કહ્યું, “મેં ફાયર બ્રિગેડ અને NDRFને સાવચેતીપૂર્વક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા હાકલ કરી છે કારણ કે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો જીવિત હોઈ શકે છે.”

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

કાટમાળમાં ફસાયેલી એક મહિલા જીવતી બહાર આવી

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે કાટમાળમાં ફસાયેલી એક મહિલાને જીવતી બચાવી છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને શોધવા માટે બચાવ અને શોધ અભિયાન ચલાવી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ જ્યારે અગ્નિશમન દળ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમને કાટમાળ નીચે ફસાયેલા 20 થી 22 લોકોને જાણ કરી. તેમણે કહ્યું કે લગભગ 12 ફાયર ટેન્ડરો ઉપરાંત બે રેસ્ક્યુ વાન ઘટનાસ્થળે તૈનાત છે.

BMCએ 2013 થી ઘણી વખત નોટિસ જાહેર કરી

ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો મ્યુનિસિપલ સ્ટાફ અને પોલીસ સાથે સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. NDRF કમાન્ડન્ટ અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમની બે ટીમો શોધ અને બચાવ કાર્યમાં લાગેલી છે. તુટી ગયેલી વિંગની નજીક બીજી વિંગ તૂટી પડવાની પણ શક્યતા છે અને લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, એમ મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે બીએમસીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ હેઠળ 2013 થી ઘણી વખત ઈમારતનું સમારકામ, પછી ખાલી કરવા અને તોડી પાડવા માટે નોટિસો જાહેર કરી છે.

બિલ્ડિંગના રહેવાસીઓએ કહ્યું હતું – પોતાના જોખમે રહેશે

બચાવ કામગીરીની દેખરેખ માટે મંગળવારે સ્થળ પર પહોંચેલા અધિકારીએ જણાવ્યું હતું કે નિયમોનું પાલન ન કરનારાઓ સામે કેસ પણ શરૂ કરવામાં આવ્યો હતો. બાદમાં, બિલ્ડિંગના રહેવાસીઓએ ફરીથી સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવ્યું અને બિલ્ડિંગને સમારકામ માટે યોગ્ય તરીકે રેટ કરવામાં આવ્યું હતું, પરંતુ સમારકામ કરવામાં આવ્યું ન હતું. ભીડેએ કહ્યું કે બીએમસી દ્વારા બિલ્ડિંગ ખાલી કરવાના વારંવાર પ્રયાસો છતાં લોકો ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. બિલ્ડિંગના રહીશોએ એફિડેવિટ આપી હતી કે તેઓ પોતાના જોખમે ત્યાં રહેશે.

મહાનગરમાં મકાન ધરાશાયી થવાની આ ત્રીજી મોટી ઘટના

આ મહિનામાં મહાનગરમાં ઈમારત ધરાશાયી થવાની આ ત્રીજી મોટી ઘટના છે. 23 જૂનના રોજ, ચેમ્બુર વિસ્તારમાં બે માળના ઔદ્યોગિક માળખાનો એક ભાગ તૂટી પડતાં એક 22 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. 9 જૂનના રોજ ઉપનગરીય બાંદ્રામાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં એક 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 18 લોકો ઘાયલ થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">