સુશાંતસિંહની મેનેજર દિશા સાલીયાનના કેસની નહીં થાય CBI તપાસ, હાઈકોર્ટે અરજી ફગાવી
દિશા સાલીયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અરજદારોને આ કેસમાં તપાસ માટે પોલીસનો સંપર્ક કરવા કહ્યું છે. સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલીયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી એક અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે જો કોઈ પાસે આ […]
દિશા સાલીયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અરજદારોને આ કેસમાં તપાસ માટે પોલીસનો સંપર્ક કરવા કહ્યું છે. સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલીયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી એક અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે જો કોઈ પાસે આ કેસને લગતા કોઈ પુરાવા કે જાણકારી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દિલ્લીના વકિલ પુનીત ઢાંડાની અરજી પર મુખ્ય ન્યાયધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તી જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે પુનીતને પૂછ્યું હતું કે તમે કોણ છો? જો દિશા સાલીયાનના મોત મામલામાં કંઈક ખોટુ થયું છે તો તેનો પરિવાર કાયદા કાનૂન મુજબ યોગ્ય પગલા ભરી શકે છે. તેમ કહીને પુનીતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ વકિલ પુનીત ઢાંડા કે કોઈ પાસે આ કેસને લઈને જાણકારી હોય તો પોલીસને સંપર્ક કરવા હાઇકોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચો: જ્યારે ડેવિડ વોર્નર બન્યો અમિતાભ બચ્ચન, શેર કર્યો મજેદાર વીડિયો
YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો