Hanuman Chalisa Row: રાણા દંપતિના જામીન રદ કરાવવા મહારાષ્ટ્ર સરકાર જશે કોર્ટ, BMCની કાર્યવાહી અને નવનીત રાણા દિલ્લી જવા રવાના
દિલ્લી જતા પહેલા નવનીત રાણા (Navneet Rana) અને રવિ રાણાએ આજે સવારે મીડિયા સાથે વાતચીત કરી હતી. નવનીત રાણાએ કહ્યું, 'અમે કોઈ હુલ્લડ નથી ભડકાવ્યું. ઊલટું શિવસૈનિકોએ અમારા ઘરનો ઘેરાવ કર્યો. હું આ તમામ બાબતો વડાપ્રધાન, ગૃહમંત્રી અને લોકસભાના અધ્યક્ષને કહીશ. લોકઅપમાં અમારી સાથે જે બન્યું તે બધુ જ પણ જણાવીશ.
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા (Ravi Rana) આજે (9 મે, સોમવાર) દિલ્લી જવા રવાના થયા હતા. દિલ્લી આવીને તેઓ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ સચિવ અને ભાજપના ટોચના નેતાઓને મળશે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમની ફરિયાદ કરશે. તે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ટીપ્પણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ફરિયાદ કરશે. આ ઉપરાંત રાજ્ય સરકાર વતી એડવોકેટ પ્રદીપ ઘરત રાણા જામીનની શરતોનો ભંગ કરવા બદલ દંપતીના જામીન રદ કરવા કોર્ટમાં અપીલ કરશે.
આ ઉપરાંત, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમ મુંબઈમાં રાણા દંપતીના ખાર સ્થિત નિવાસસ્થાને પહોંચશે અને તેમના ફ્લેટનું નિરીક્ષણ કરશે. મુંબઈ મહાનગરપાલિકાને ઘરની અંદર ગેરકાયદે બાંધકામની શંકા છે.
દિલ્લી જતા પહેલા રાણા દંપતિએ મીડિયા સાથે કરી વાત
દિલ્લી જતા પહેલા નવનીત રાણા અને રવિ રાણાએ આજે સવારે મીડિયા સાથે વાતચીત કરી હતી. નવનીત રાણાએ કહ્યું, ‘આજે હું દિલ્લી જવાનો છું. રાઉત પોપટ છે અને રવિ રાણાએ સાચું કહ્યું છે કે તે ચવન્ની છાપ છે. તેઓએ કહ્યું હતું કે તેઓ અમને વીસ ફૂટ નીચે જમીનમાં દફનાવશે અને સામગ્રી પણ સ્મશાનભૂમિ સુધી પહોંચાડી દેવામાં આવી છે. અમે તેમની આ ટિપ્પણી સામે ફરિયાદ કરી હતી. કોઈ પગલાં લેવાયા નથી. અમે કોઈ રમખાણો ભડકાવ્યા નથી. ઊલટું શિવસૈનિકોએ અમારા ઘરનો ઘેરાવ કર્યો. હું આ તમામ બાબતો વડાપ્રધાન, ગૃહમંત્રી અને લોકસભાના અધ્યક્ષને કહીશ. લોકઅપમાં અમારી સાથે જે બન્યું તે હું જણાવીશ. અમે કોર્ટના કોઈપણ આદેશનું ઉલ્લંઘન કર્યું નથી. અમે કોર્ટનું સન્માન કરવાવાળા નાગરિકો છીએ.
‘જામીનની શરતોનો ઉલ્લંઘન નથી કર્યું’
નવનીત રાણાએ કહ્યું, ‘અમે કોર્ટની કાર્યવાહી અને કેસ વિશે મીડિયા સાથે વાત કરી નથી. કોર્ટે અમને આ કેસ અંગે મીડિયા સાથે વાત કરવાની મનાઈ ફરમાવી હતી. અમે જનપ્રતિનિધિ હોવાને કારણે સરકારના કામની ટીકા કરી છે આ રીતે અમે જામીનની કોઈપણ શરતોનો ભંગ કર્યો નથી. જે રીતે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર ચલાવી રહ્યા છે, તે માત્ર અને માત્ર બદલાની રાજનીતિ છે. સિદ્ધાંતો અને મર્યાદાઓ બાળાસાહેબ ઠાકરે સાથે ખતમ થઈ ગયા. દેવેન્દ્ર ફડણવીસ પણ મહારાષ્ટ્ર ચલાવતા હતા. કોઈ મહિલા જનપ્રતિનિધિને જેલમાં જવું પડ્યું નથી.