Mumbai Ganesh Utsav: મુંબઈમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન માટેના નિયમો જાહેર, સરઘસ અને ભીડ ભેગી કરીને વિસર્જન કરવા પર પ્રતિબંધ

સરઘસમાં કાઢીને વિસર્જન સ્થળે પહોંચવા માટે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ ચોપાટીએ જઈને વિસર્જન કરવા માટે કોઈ પ્રતિબંધ નથી. મોટા સાર્વજનિક ગણેશ મંડળો ચોપાટીએ જઈને ગણપતિ વિસર્જન કરી શકશે.

Mumbai Ganesh Utsav: મુંબઈમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન માટેના નિયમો જાહેર, સરઘસ અને ભીડ ભેગી કરીને વિસર્જન કરવા પર પ્રતિબંધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:50 PM

મુંબઈમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ સંદર્ભે સોમવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને ગણેશ મંડળો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ગણેશ ભક્તો જાહેરમાં તહેવારની ઉજવણી કરતી ભીડ સાથે લઈને સરઘસના રૂપમાં વિસર્જન સ્થળ પર જઈ શકાશે નહીં. પરંતુ મોટા જાહેર ગણેશ મંડળોને દરિયાકિનારે અને ચોપાટી પર ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગણેશોત્સવ સંકલન સમિતિની બેઠક સોમવારે (23 ઓગસ્ટ) સમાપ્ત થઈ. આ બેઠકમાં ગણેશોત્સવ મંડળ 4 ફૂટની મૂર્તિઓ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે અને સાદગી સાથે ઉજવણી કરવામાં આવશે. વિસર્જન સ્થળે પહોંચવા માટે સરઘસને લઈને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરંતુ ચોપાટીએ જઈને વિસર્જન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. મોટા સાર્વજનિક ગણેશ મંડળો ચોપાટીએ જઈને ગણપતિ વિસર્જન કરી શકશે. પરંતુ વિસર્જન માટે માત્ર 10 કાર્યકરોને જ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે ભીડ ભેગી કરવાની રહેશે નહીં તેમજ સરઘસ કાઢી શકાશે નહીં. ગણેશ ઉત્સવને લઈને આ બેઠકમાં શું નિર્ણય લેવાશે તેના પર દરેકની નજર હતી.

આ છે વિસર્જનના નિયમો

આગામી ગણેશોત્સવ અને વિસર્જન માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગણેશોત્સવ સંકલન સમિતિની બેઠકમાં ગત વર્ષના નિયમોને આ વર્ષે પણ કાયમ રાખવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર જાહેર ગણેશોત્સવની મૂર્તિઓની ઊંચાઈ 4 ફૂટ હશે, જ્યારે ઘરેલું ગણપતિની મૂર્તિઓ 2 ફૂટની હશે. ભીડ ન વધે તે માટે ગણેશ મંડળોએ ધ્યાન રાખવું પડશે. 84 પ્રાકૃતિક ગણેશ વિસર્જન સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે.

મૂર્તિ વિસર્જન માટે નિયત સ્થળોએ નગરપાલિકાને મૂર્તિ આપવાની રહેશે. આ પછી મહાપાલિકા જ ગણેશ વિસર્જન કરશે. સાર્વજનિક મૂર્તિ વિસર્જન માટે એક મંડળમાંથી દસ કાર્યકરોને મંજૂરી છે. નાના બાળકો અને વૃદ્ધોને વિસર્જન સ્થળ પર ન આવવાની અપીલ કરવામાં આવી છે.

ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવી જોઈએ. સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ. આરતી, ભજન, કીર્તન દરમિયાન ભીડ ભેગી ન કરવી જોઈએ. ભક્તોએ પણ ભીડ વધારવાને બદલે ઓનલાઈન દર્શન કરવા જોઈએ. ગણપતિ મંડળોમાં સેનિટાઈઝિંગ અને થર્મલ સ્ક્રિનિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાંચો : Mumbai: BMCએ કોરોના સામે લડવા માટે કર્યો 2000 કરોડનો અધધધ ખર્ચ, દર મહિને 200 કરોડથી વધારેનો ખર્ચ

આ પણ વાંચો : Success Story : “વેસ્ટમાંથી બેસ્ટ”, સૂકા પાંદડા પર ભરતકામ કરીને આ યુવક દર મહિને 80 હજાર રૂપિયા કમાઈ છે ! બોલિવૂડ સ્ટાર્સ પણ આ કલાકારના ફેન્સ

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">