શિંદે જૂથને મોટી રાહત, હવે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ થશે વધુ સુનાવણી, ત્યાં સુધી 16 ધારાસભ્યોને ગેરલાયક નહી ઠેરાવી શકાય

સુપ્રીમ કોર્ટે, એકનાથ શિંદે જૂથે કરેલ અરજી સંદર્ભે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ 5 દિવસનો સમય આપ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષે, 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે પાઠવેલી નોટીસને, એકનાથ શિંદે જૂથે, સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

શિંદે જૂથને મોટી રાહત, હવે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ થશે વધુ સુનાવણી, ત્યાં સુધી 16 ધારાસભ્યોને ગેરલાયક નહી ઠેરાવી શકાય
Eknath Shinde, Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 3:45 PM

એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ માટે આગામી તારીખ 11 જુલાઈ આપી છે. હવે 5 દિવસ પછી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે, એકનાથ શિંદે જૂથે કરેલ અરજી સંદર્ભે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ 5 દિવસનો સમય આપ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરીએ (Deputy Speaker of the Legislative Assembly), એકનાથ શિંદે જૂથના, 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટીસ પાઠવી હતી. એકનાથ શિંદે જૂથે વિધાનસભા ઉપાધ્યક્ષે પાઠવેલી નોટીસને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં, પ્રથમ અરજીમાં, શિંદે જૂથના 16 ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવા સંબંધિત નોટિસ મોકલવાની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ માટે આગામી તારીખ 11 જુલાઈ આપી છે. તમામ પક્ષકારોને 11મી જુલાઈએ સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશમાં 16 ધારાસભ્યોને મોટી રાહત મળી છે. આનાથી તે 11 જુલાઈ સુધી ગેરલાયક ઠરે નહીં.

આ પહેલા સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેની અરજી પર નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે શિવસેના અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે. નોટિસનો જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે અરજદારો (શિંદે જૂથના ધારાસભ્યો) અને તેમના પરિવારના સભ્યો અને તેમની સંપત્તિના રક્ષણ માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

ઉપાધ્યક્ષની ભૂમિકા પર સવાલ

શિંદે જૂથે તેની અરજીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. શિંદે જૂથ અને અન્ય બળવાખોર ધારાસભ્યો તરફથી હાજર રહેલા નીરજ કિશન કૌલે કહ્યું કે ઉપાધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય લેવાનો બાકી છે, તો તે પોતે બળવાખોર ધારાસભ્યો સામે ગેરલાયકાતની નોટિસ કેવી રીતે જાહેર કરી શકે. કૌલે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને નોટિસનો જવાબ આપવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જે મહારાષ્ટ્ર વિધાનસભાના નિયમ 11નું ઉલ્લંઘન હતું. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આ કેસમાં નબામ રેબિયા કેસ લાગુ પડતો નથી અને શિંદે જૂથે પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો.

નબામ રેબિયા કેસનો ઉલ્લેખ

ઉદ્ધવ જૂથ વતી અભિષેક મનુ સિંઘવીએ ચર્ચાની શરૂઆત કરી હતી. અજય ચૌધરી અને સુનીલ પ્રભુ તરફથી હાજર રહેલા એડવોકેટ સિંઘવીએ રજૂઆત કરી હતી કે આ કેસમાં નબામ રેબિયા કેસ લાગુ પડતો નથી. સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટમાં ગયા વગર સુપ્રીમ કોર્ટમાં આવવું ખોટું છે. સિંધવીએ દલીલ કરી હતી કે ઉપાધ્યક્ષનું પદ બંધારણીય છે. જ્યાં સુધી ઉપાધ્યક્ષ નિર્ણય ના લે ત્યાં સુધી કોર્ટે તેમાં દખલ ન કરવી જોઈએ. તેના પર જજ સૂર્યકાંતે કહ્યું કે નબામ રેબિયા કેસમાંઉપાધ્યક્ષ અને અધ્યક્ષના નિર્ણયોની સ્પષ્ટતા કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે જે નોટિસ મોકલવામાં આવી છે તે બંધારણ મુજબ છે કે નહીં. અમે ગૃહની કાર્યવાહી વિશે વાત નથી કરી રહ્યા. ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું કે કોર્ટ નોટિસ મોકલવાની કાયદેસરતામાં દખલ કરી શકે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">