જળ સંકટ : ભાજપે કાઢ્યો જલાક્રોશ મોરચો, ફડણવીસે કહ્યું- ‘જ્યાં સુધી ઉકેલ નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે’

દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે, આ સંભાજીનગરના લોકોનો ગુસ્સો છે. મહાનગરપાલિકામાં આ સરકાર અને શિવસેનાએ (Shiv Sena) લોકોને માત્ર આશ્વાસન જ આપ્યા છે. તે પાણીનું એક ટીપું પણ આપી શક્યા નહીં.

જળ સંકટ : ભાજપે કાઢ્યો જલાક્રોશ મોરચો, ફડણવીસે કહ્યું- 'જ્યાં સુધી ઉકેલ નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે'
Devendra Fadanvis (File Image)Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 1:31 PM

મહારાષ્ટ્રના (Maharashtra) ઔરંગાબાદના સંભાજીનગરમાં જળ સંકટને (Water Crisis) લઈને ગઈકાલે (23 મે 2022) ભાજપે વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) નેતૃત્વમાં જલાક્રોશ મોરચો કાઢ્યો હતો. આ પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આજે સંભાજીનગરના લોકો જળ સંકટનો સામનો કરી રહ્યા છે. જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ સંભાજીનગરના લોકોનો આક્રોશ છે. મહાનગરપાલિકામાં આ સરકાર અને શિવસેનાએ લોકોને માત્ર આશ્વાસન જ આપ્યા છે. તેઓ પાણીનું એક ટીપું પણ આપી શક્યા નથી. અમે અમારી સરકારના કાર્યકાળ દરમિયાન જે યોજનાને મંજૂરી આપી હતી તેમાં અમે 1600 કરોડ રૂપિયા માંગ્યા હતા. આથી આ મોરચો નથી, પરંતુ સંભાજીનગરના લોકોનો રોષ છે. સરકારને તેનો સામનો કરવો પડશે. જ્યાં સુધી સંભાજીનગરને પાણી નહીં મળે ત્યાં સુધી અમારો સંઘર્ષ સમાપ્ત થશે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફડણવીસે ઈંધણ પર વેટ કપાતને છેતરપિંડી ગણાવી હતી

દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાતને સંપૂર્ણ છેતરપિંડી ગણાવી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોને મૂર્ખ બનાવ્યા વિના તરત જ ઈંધણના ભાવમાં ઘટાડો કરવો જોઈએ. શ્રેણીબદ્ધ ટ્વિટમાં ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકારે ઈંધણના ભાવમાં ઘટાડા અંગે દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે જેના કારણે કિંમતોમાં ઘટાડો થયો છે. શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં પ્રતિ લિટર પેટ્રોલ પર રૂ. 2.08 અને ડીઝલ પર રૂ. 1.44નો ઘટાડો કર્યો હતો.

જળ સંકટને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર

આ પહેલા ઔરંગાબાદમાં ઈંધણ અને ગેસના ભાવને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે પોસ્ટર વોર ફાટી નીકળ્યું હતું. શિવસેનાએ પાણીની કટોકટી અંગે બીજેપીએ લગાવેલા બેનરોની નજીક તેના બેનર અહીં લગાવ્યા છે. ભાજપે જળ સંકટને લઈને મોરચાની માહિતી આપી હતી. તે જ સમયે, શિવસેનાના પોસ્ટરમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને સામાન્ય પરિવારોને રાહત આપવાની જરૂરિયાત વિશે કહેવામાં આવ્યું છે. શિવસેનાના પોસ્ટરમાં ભાજપ પર કટાક્ષ કરતા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શિવસેનાએ મરાઠવાડાના સૌથી મોટા શહેર ઔરંગાબાદમાં પાણીનો વેરો અડધો કરી દીધો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">