Maharashtra CM, Eknath Shinde Oath Taking: એકનાથ શિંદેએ મુખ્યપ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસે DyCM પદના લીધા શપથ
શપથ લીધાના થોડા સમય પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારનો ભાગ રહેશે.
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ લેવાની સાથે જ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બની ગયા છે. એકનાથ શિંદેની (Eknath Shinde) સાથે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ લીધાના થોડા સમય પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારનો ભાગ રહેશે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે મોટુ મન રાખીને એકનાથ શિંદેનું નામ મુખ્યપ્રધાન માટે જાહેર કર્યુ હતું. જેના વખાણ પણ જેપી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહે કર્યા હતા.
એકનાથ શિંદેએ લીધા મુખ્યપ્રધાન પદ માટે શપથ
#Mumbai: #EknathShinde takes oath as the Chief Minister of Maharashtra. pic.twitter.com/IKzYSDiFOS
— Tv9 Gujarati (@tv9gujarati) June 30, 2022
દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન પદ માટે લીધા શપથ
#Mumbai: #DevendraFadnavis takes oath as the Deputy Chief Minister of #Maharashtra . pic.twitter.com/iSBD4CQGoA
— Tv9 Gujarati (@tv9gujarati) June 30, 2022
PM મોદીએ આપી શુભકામના
મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન ફડણવીસે શપથ ગ્રહણ કરી લીધા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભકામના આપી છે.
I would like to congratulate Shri @mieknathshinde Ji on taking oath as Maharashtra CM. A grassroots level leader, he brings with him rich political, legislative and administrative experience. I am confident that he will work towards taking Maharashtra to greater heights.
— Narendra Modi (@narendramodi) June 30, 2022
રાજભવનમાં એકનાથ શિંદેનો પરિવાર પણ આવ્યો, ભાજપના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા
એકનાથ શિંદે મુખ્યપ્રધાન પદના શપથ લેવા માટે દરબાર હોલ પહોંચ્યા ત્યારે તેમની સાથે ભાજપના અન્ય ઘણા સીનિયર નેતાઓ પણ તેમની સાથે આવ્યા હતા. એકનાથ શિંદેના પરિવારના સભ્યો પણ દરબાર હોલમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન હાજર રહ્યા. દેવેન્દ્ર ફડણવીસ, સુધીર મુનગંટીવાર, આશિષ શેલાર અને ભાજપ મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ દરબાર હોલમાં હાજર છે.