Maharashtra: આજે સાંજે 7 વાગે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લેશે, એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન હશે- સૂત્ર

આજે સાંજે 7 વાગે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લેશે

Maharashtra: આજે સાંજે 7 વાગે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લેશે, એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન હશે- સૂત્ર
Devendra Fadnavis and Eknath Shinde
Follow Us:
| Updated on: Jun 30, 2022 | 4:12 PM

આજે સાંજે 7 વાગે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના (Maharashtra Political Crisis) પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadanvis) ઘરે પહોંચ્યા છે. વિદ્રોહ બાદ એકનાથ શિંદે (Eknath Shinde) પહેલીવાર મુંબઈ પહોંચ્યા છે. તેઓ થોડી જ વારમાં રાજ્યપાલને પણ મળશે. એકનાથ શિંદે આજે ગોવાથી મુંબઈ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે બંને નેતા રાજભવન જશે અને રાજ્યપાલને મળશે.

આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ શપથ લેશે : સૂત્રો

અત્યાર સુધીની માહિતી મુજબ આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ શપથ લેશે. આ પછી એકથી બે દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમની શપથવિધિ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજભવનમાં માત્ર પાંચ ખુરશીઓ જ લગાવવામાં આવી છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ માટે થોડી જ વારમાં રાજભવન પહોંચી શકે છે.

દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે!

એક તરફ એકનાથ શિંદે ફડણવીસના નિવાસસ્થાને પહોંચી ગયા છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ આજે ​​મુંબઈમાં માતોશ્રી પહોંચ્યા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના રાજીનામાથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. સમાચાર અનુસાર, શિંદે કેમ્પના સમર્થનથી બની રહેલી નવી સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત સીએમ પદ સંભાળશે. ભાજપના 6 અને શિંદે કેમ્પના 6 ધારાસભ્યોને નવી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

મહારાષ્ટ્રમાં એકવાર સત્તાપલટો થયો છે. ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું બાદ હવે રાજ્યને ફરીથી નવા મુખ્યપ્રધાન મળવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં 5 વર્ષ સુધી મુખ્યપ્રધાનનો કાર્યકાળ પૂરો ન કરવો એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ ઘણા એવા મુખ્યપ્રધાનો છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો નથી કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે 1960થી લઈને અત્યાર સુધી માત્ર બે જ એવા નેતા રહ્યા છે, જેમણે મુખ્યપ્રધાન તરીકે પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂરા કર્યા છે.

જો કે રાજ્યને મહારાષ્ટ્રના ઘણા મુખ્યપ્રધાનો મળ્યા, પરંતુ આ બે નેતાઓ સિવાય કોઈ નેતા 5 વર્ષ પૂરા કરી શક્યા નથી. આમાં એક નામ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું, જેઓ ફરી એકવાર મુખ્ય પ્રધાન બનવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન બની શકે છે અને જોવાનું રહેશે કે તેઓ કેટલા દિવસ સુધી રાજ્યની કમાન સંભાળે છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">