Maharashtra political crisis: 16 બળવાખોરોને ગેરલાયક ઠેરવવા વિધાનસભા ઉપાધ્યક્ષની નોટિસ, શિવસેના પણ શિંદે વિરુદ્ધ ચૂંટણી પંચમાં જશે

મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલે, એકનાથ શિંદે સહિત 16 બળવાખોર ધારાસભ્યોને તેમની સદસ્યતા રદ કરતા પહેલા જવાબ આપવા માટે 27 જૂન સુધીનો સમય આપ્યો છે. શિવસેના હવે એકનાથ શિંદે જૂથ વિરુદ્ધ ચૂંટણી પંચમાં જશે.

Maharashtra political crisis: 16 બળવાખોરોને ગેરલાયક ઠેરવવા વિધાનસભા ઉપાધ્યક્ષની નોટિસ, શિવસેના પણ શિંદે વિરુદ્ધ ચૂંટણી પંચમાં જશે
Eknath shinde group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 4:57 PM

શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) હવે શિંદે જૂથ સામે એકતરફી લડાઈમાં ઉતર્યા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથ પર કડક કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે. બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલે એકનાથ શિંદે સહિત 16 બળવાખોરોને નોટિસ પાઠવી છે. ધારાસભ્યોની સદસ્યતા રદ કરતા પહેલા જવાબ આપવા માટે 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ શિવસેનાએ શિંદે જૂથનું નામ બાળાસાહેબના નામ સામે રાખવા સામે ચૂંટણી પંચનો (Election Commission) સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ક્ષણ-ક્ષણે વધી રહ્યું છે, પરંતુ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે હાર માનવા તૈયાર નથી. તેમણે હવે એકનાથ શિંદે જૂથ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ શિવસેનાએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એકનાથ શિંદે વિરુદ્ધ ચાર ઠરાવ પસાર કર્યા. તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે શિવસેનાના પત્રની નોંધ લીધી છે. બળવાખોરોની સદસ્યતા રદ કરવા માટે, ડેપ્યુટી સ્પીકરનરહરિ જીરવાલે, એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોને નોટિસ પાઠવી છે કે તેમની સદસ્યતા કેમ રદ ના કરવી અને આ અંગે 27 જૂન, સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં તેમનો જવાબ માંગ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શિવસેનાએ ચાર ઠરાવ પસાર કર્યા

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. જેમાંથી શિવસેના પ્રથમ પ્રસ્તાવ હેઠળ ચૂંટણી પંચ પાસે જશે. શિવસેના પંચમાં અપીલ કરશે કે અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ બાળાસાહેબના નામનો ઉપયોગ ના કરે. અન્ય પ્રસ્તાવોમાં ઉદ્ધવ બળવાખોરો પર કાર્યવાહી કરશે. શિવસેનાની હિન્દુત્વ અને મરાઠી ઓળખનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અંતિમ ઠરાવમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

તમારા પિતાના નામ પર ચૂંટણી લડો: ઉદ્ધવ

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર સીધો વાકપ્રહાર કર્યો હતો. શિંદે પોતાના જૂથને શિવસેના બાળાસાહેબનું નામ આપતાં ઉદ્ધવે કહ્યું કે જો કોઈને ચૂંટણી લડવી હોય તો તમારા પિતાના નામ પર લડો. બાળાસાહેબ તેમના પિતા હતા અને તેમના નામનો અન્ય કોઈ ઉપયોગ કરી શકે નહીં.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">