ઉદ્ધવ ઠાકરે સામે કોર્ટ તિરસ્કારની કાર્યવાહીની માંગ, સજા આપવાને બદલે હાઈકોર્ટે કહ્યું- તેમને જે કહેવું હોય તે બોલવા દો, અમારો અંતરાત્મા સાફ છે
ચીફ જસ્ટિસ દત્તાએ (Chief Justice Dutta) કહ્યું કે તેમને ન્યાયતંત્ર (judiciary) વિશે જે કહેવું હોય તે કહેવા દો. આવી ટિપ્પણીઓને સહન કરવાની અમારી ક્ષમતા ઘણી વધારે છે. જ્યાં સુધી અમારો અંતરાત્મા સાફ છે, તેમને કંઈપણ કહેવા દો.
બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) બુધવારે કહ્યું કે તે ન્યાયતંત્ર વિરુદ્ધ રાજકીય નેતાઓ અને અન્ય લોકોની ટિપ્પણીઓ પર ધ્યાન આપતું નથી અને જ્યાં સુધી કોર્ટમાં ટીકા સહન કરવાની ક્ષમતા છે અને તેનો અંતરાત્મા સાફ છે, લોકો જે ઈચ્છે તે કહી શકે છે. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ વીજી બિષ્ટની ડિવિઝન બેન્ચે આ વાત ત્યારે કહી જ્યારે એક વકીલે ન્યાયતંત્ર વિરુદ્ધ ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, શિવસેનાના (Shivsena) સાંસદ સંજય રાઉત અને અન્યો સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરતી પીઆઈએલનો ઉલ્લેખ કર્યો.
ઈન્ડિયન બાર એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિવાદીઓએ હાઈકોર્ટના ન્યાયાધીશો અને સમગ્ર ન્યાયિક પ્રણાલી સામે ઘણા “ખોટા, નિંદનીય અને તિરસ્કારજનક” આરોપો લગાવ્યા છે. ચીફ જસ્ટિસ દત્તાએ કહ્યું કે તેમને ન્યાયતંત્ર વિશે જે કહેવું હોય તે કહેવા દો. આવી ટિપ્પણીઓને સહન કરવાની અમારી ક્ષમતા ઘણી વધારે છે. જ્યાં સુધી અમારો અંતરાત્મા સાફ છે, તેમને કંઈપણ કહેવા દો.
બેન્ચે શરૂઆતમાં કહ્યું હતું કે તે ઉનાળાના વેકેશન પછી સુનાવણી માટે અરજીની સૂચી બનાવશે, પરંતુ અરજદારના વકીલે તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરી હતી. ત્યારબાદ કોર્ટે વકીલને તાકીદની સુનાવણી માટે સબમીટ કરેલી અરજી સોંપવા કહ્યું. આ પછી કોર્ટે કહ્યું કે સુનાવણી માટે અરજી ક્યારે સૂચિબદ્ધ કરવી તે અંગે વિચારણા કરવામાં આવશે.
ન્યાયતંત્ર વિરુદ્ધ ક્યારે અને કોણે ટિપ્પણી કરી?
પીઆઈએલમાં કેટલાંક દાખલાઓ નોંધવામાં આવ્યા છે જેમાં કથિત રીતે ન્યાયતંત્ર વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે. આમાં છેતરપિંડીના કેસમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને ધરપકડથી વચગાળાની સુરક્ષા આપવા હાઈકોર્ટ વિશે રાઉતની તાજેતરની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. અરજી અનુસાર, આદેશ પછી રાઉતે કથિત રીતે ઈન્ટરવ્યુ આપ્યા હતા અને કહ્યું હતું કે અદાલતો અને ખાસ કરીને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશો ભાજપના સભ્યોને રાહત આપી રહ્યા છે, જ્યારે તેમના પક્ષો (રાજ્યની ગઠબંધન સરકારમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ) મંત્રીઓને રાહત આપવામાં આવી રહી નથી.
અરજીમાં જણાવાયું છે કે “આ કોર્ટની ગરિમાને ઘટાડવા અને ન્યાયતંત્રમાં સામાન્ય માણસના વિશ્વાસને નબળો પાડવા માટે કરવામાં આવ્યું છે, તેથી તે કોર્ટનો સૌથી મોટો તિરસ્કાર છે.” પીઆઈએલમાં શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદક અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેની સાથે સાથે સામનાના પ્રિન્ટર અને પ્રકાશક વિવેક કદમ સામે પણ તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઠાકરે સરકાર પર કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના આકરા પ્રહાર, કહ્યું ‘હનુમાન ચાલીસાના પાઠ કરવા અપરાધ નથી’