Dahi Handi: મહારાષ્ટ્રમાં આ વખતે પણ નહીં યોજાય દહીં હાંડી, ઠાકરે સરકારે કહ્યું ઉત્સવ સાથે જીવન મહત્વનું
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અત્યારે લોકોનો જીવ બચાવવો જરૂરી છે, તેથી તહેવારો (દહી હાંડી, ગોકુલ અષ્ટમી, જન્માષ્ટમી) ને થોડા સમય માટે બાજુ પર રાખવા પડશે.
આ વખતે પણ દહી હાંડીનો (Dahi Handi) તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાશે નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) સાર્વજનિક રીતે દહી હાંડી ઉજવવાની મંજૂરી આપી ન હતી. રાજ્યના ગોવિંદાઓના પ્રતિનિધિઓ સાથે આજે (23 ઓગસ્ટ, સોમવારે) સરકારની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અત્યારે લોકોનો જીવ બચાવવો જરૂરી છે, તેથી તહેવારો (દહી હાંડી, ગોકુલ અષ્ટમી, જન્માષ્ટમી)ને થોડા સમય માટે બાજુ પર રાખવા પડશે.
મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે કોરોનાની બીજી લહેર (Corona in Maharashtra) નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરનો (Third Wave of Corona) ભય પણ છે. આવી પરીસ્થિતિમાં રાજ્ય સરકાર દરેક બાબતમાં સંપૂર્ણ છૂટ આપી શકે તેમ નથી. વિપક્ષ સતત માગણી કરી રહ્યા છે કે તહેવારો પરના નિયંત્રણો હળવા કરવા જોઈએ.
ગોવિંદાઓની પણ એવી માંગણી હતી કે ભીડ વધાર્યા વગર અને કોરોના નિયમોના પાલન સાથે દહી હાંડી ઉજવવાની મંજૂરી આપવી જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે ગોવિંદાઓએ, કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેને જ દહીં હાંડી તોડવામાં સામેલ કરવામાં આવશે. આ માંગણીઓ પર વિચાર કરવા માટે ગોવિંદાઓના (કૃષ્ણ ભક્તો જે દહી હાંડી તોડે છે) પ્રતિનિધિઓની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે એક બેઠક થઈ હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર(DY CM Ajit Pawar), મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ (Balasaheb Thorat, Cabinet Minister), ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ (Dilip Walse Patil, Home Minister) પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગોવિંદાઓને થોડો સમય સંયમ રાખવાની વિનંતી કરી હતી.
‘જાહેર તહેવારોને બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લો’
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું “આ સમયે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમનો જીવ બચાવવો જરૂરી છે. તેથી તહેવારોને થોડા સમય માટે સાઈડમાં રાખો. માનવતા બતાવો અને વિશ્વને આ સંદેશ આપો કે આપણે કોરોનાને નાબૂદ કરીને જ રહીશું, ત્યારપછી જ આપણે શાંતિથી બેસીશું. મુખ્યમંત્રીએ ગોવિંદાઓને કોરોનાના સમયગાળા દરમિયાન દહી હાંડીના બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજવા અપીલ કરી હતી.
મહારાષ્ટ્રમાં અનલોક (Unlock in Maharashtra) શરૂ થયા પછી સરકાર તબક્કાવાર રીતે લોકડાઉન સંબંધિત પ્રતિબંધો (Relaxations in Restrictions)માં છૂટછાટ આપી રહી છે. પરંતુ હજુ પણ મંદિરો સહિત ધાર્મિક સ્થળો બંધ છે. તેના કારણે ભાજપ (BJP) અને મનસે (MNS) જેવા મુખ્ય વિપક્ષી પક્ષો આક્રમક બની રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકારના આ પગલા પર વિપક્ષની શું ભૂમિકા રહેશે.
આ પણ વાંચો : Mumbai: BMCએ કોરોના સામે લડવા માટે કર્યો 2000 કરોડનો અધધધ ખર્ચ, દર મહિને 200 કરોડથી વધારેનો ખર્ચ