Mumbai: પરમબીર સિંહના ઘરની બહાર ‘ફરાર’ જાહેર કરતો કોર્ટનો આદેશ ચોંટાડાયો, 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ

ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા છે. જે બાદ હવે તેમના ઘરની બહાર પણ ઓર્ડર ચોંટાડવામાં આવ્યો છે.

Mumbai: પરમબીર સિંહના ઘરની બહાર 'ફરાર' જાહેર કરતો કોર્ટનો આદેશ ચોંટાડાયો, 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ
Former Mumbai Police Commissioner Parambir Singh (file photo).
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:48 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર (former Mumbai Police Commissioner) પરમબીર સિંહને (Parambir Singh)  મુખ્ય મેટ્રોપોલિટન જસ્ટિસ મેજિસ્ટ્રેટ કોર્ટ (Splanned) દ્વારા ફરાર જાહેર (Absconding)  કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. જે બાદ હવે આજે (મંગળવારે) કોર્ટનો આ આદેશ જુહુ સ્થિત તેમના ફ્લેટની બહાર ચોંટાડવામાં આવ્યો છે.

બુધવારે ચીફ મેટ્રોપોલિટન જસ્ટિસ મેજિસ્ટ્રેટ કોર્ટ (એસ્પ્લેનેડ)ના જજે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા. પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો તેઓ સમયસર હાજર નહીં થાય તો તેમની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ફરાર જાહેર કરવાની માંગ

મુંબઈના ગોરેગાંવમાં રિકવરી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂછપરછ અને તપાસ માટે હાજર રહ્યા ન હતા. પરમબીર સિંહની સાથે વિનય સિંહ અને રિયાઝ ભાટીને પણ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં વસૂલાતના ઘણા કેસ નોંધાયેલા છે. વારંવાર સમન્સ પાઠવ્યા પછી પણ પરમબીર સિંહ હાજર ન રહેતાં ક્રાઈમ બ્રાન્ચે તેમને ફરાર જાહેર કરવા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જનરલ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ અપીલને મંજૂરી આપી હતી. જે બાદ મંગળવારે પરમબીર સિંહને ‘ફરાર’ જાહેર કરતો આદેશ તેમના જુહુ સ્થિત ફ્લેટની બહાર ચોંટાડવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ધરપકડથી આપ્યુ રક્ષણ 

સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપનારી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપતા, ચાલુ તપાસ દરમિયાન ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કોર્ટને કહ્યું કે (પરમબીર સિંહ) દેશમાં જ છે, પરંતુ તેમના જીવને ખતરો છે, તેથી તેઓ છુપાઈ રહ્યા છે.

આ પણ વાંચો : મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું ‘ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">