મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ કોરોના અંગે નિવેદન, કહ્યુ- ત્રીજી લહેરની પીક જતી રહી, નવા વેરિઅન્ટથી ડરવાની જરૂર નથી

રાજેશ ટોપેએ કહ્યું, હોસ્પિટલમાં 92 થી 95 ટકા બેડ ખાલી છે. પોઝિટિવ મળેલા દર્દીઓમાંથી માત્ર 5 થી 7 ટકા જ હોસ્પિટલના બેડ પર છે. ICU અને ઓક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓ માત્ર 1 ટકા છે. તેથી ચિંતાનું કોઈ કારણ નથી.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યુ કોરોના અંગે નિવેદન, કહ્યુ- ત્રીજી લહેરની પીક જતી રહી, નવા વેરિઅન્ટથી ડરવાની જરૂર નથી
Rajesh Tope - Health Minister of Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 8:33 PM

છેલ્લા ઘણા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં (Maharashtra Corona Update) સતત ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ જ્યારે કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને દરરોજ 45 થી 50 હજાર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) ટોચ પર છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે પત્રકારો સાથે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સંક્રમિતોની સંખ્યા હજુ પણ વધી રહી છે. આવા શહેરોમાં નાસિક, નાગપુર, પુણે, ઔરંગાબાદનો સમાવેશ થાય છે. પરંતુ મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર જેવા શહેરો અને નગરોમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આ સંદર્ભમાં એમ કહી શકાય કે રાજ્યમાં ત્રીજી લહેરનું પીક આવીને જતુ રહ્યું.

રાજેશ ટોપેએ વધુમાં કહ્યું, ભલે શહેરોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. આ બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હાલમાં સંક્રમિત દર્દીઓ સારવાર બાદ પાંચથી છ દિવસમાં સાજા થઈ રહ્યા છે. તેથી, ગામડાઓમાં વધી રહેલા કોરોના કેસોને જોઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી.

નવા વેરિઅન્ટ NeoCov ને લઈને પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી

હાલમાં, કોરોનાના નવા વેરિઅન્ટ, NeoCov ના જોખમને લઈને સમગ્ર વિશ્વમાં એક નવો ભય ઉભો થયો છે. નિષ્ણાતોના મતે, ચામાચીડિયા દ્વારા ફેલાયેલ આ વેરિઅન્ટ એટલો ખતરનાક છે કે તે દર ત્રણ સંક્રમિત વ્યક્તિમાંથી એકનું મોત થઈ શકે છે. રાજેશ ટોપેએ પણ આ નવા કોરોના વેરિઅન્ટ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમણે કહ્યું, ‘હાલમાં, નવા વેરિઅન્ટની ચર્ચા શરૂ થઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આ અંગે સંશોધન કરી રહી છે. નવો વેરિઅન્ટ પહેલા કરતા વધુ ઘાતક છે, આ માહિતી પણ મળી રહી છે. પરંતુ નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દી હજુ સુધી ક્યાંય મળ્યો નથી. તેથી અત્યારે તેના વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી.’

 માસ્ક મુક્ત મહારાષ્ટ્રની મેં નથી કરી વાત

આ દરમિયાન, ઓછા કોરોના સંક્રમણને કારણે આ ચર્ચા શરૂ થઈ છે કે, હવે રાજ્યમાં માસ્કનો ઉપયોગ જરૂરી નથી. આ અંગે રાજેશ ટોપેએ કહ્યું, મેં ક્યારેય માસ્ક મક્ત મહારાષ્ટ્રની વાત નથી કરી. કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણ રીતે ટળ્યો નથી. તેથી ટાસ્ક ફોર્સે આ અંગે માર્ગદર્શન આપવું જોઈએ.

રાજ્યમાં હજુ કેટલા દિવસ પ્રતિબંધો જાળવવા પડશે તેની માહિતી લોકોને મળે તો તેમના માટે સરળતા રહેશે. ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, હોલેન્ડ જેવા દેશોમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે તેમના અનુભવો પરથી કેટલાક અભિપ્રાય બનાવી શકીએ, આના પર આઈસીએમઆર સાથે ચર્ચા કરવા માટે અમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ અંગે વિનંતી કરી છે.

મહારાષ્ટ્રે કોરોના સામે લડવા માટે કરી છે આ તૈયારી

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં હોસ્પિટલોમાં 92 થી 95 ટકા બેડ ખાલી પડેલા છે. પોઝિટિવ મળેલા દર્દીઓમાંથી માત્ર 5 થી 7 ટકા જ હોસ્પિટલના બેડ પર છે. ICU અને ઓક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓ માત્ર 1 ટકા છે. તેથી ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ એવું નથી કે કોરોના સંકટ સંપૂર્ણપણે ટળી ગયું છે.

આ પણ વાંચો :  Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">