કેટલાક હીરો બનવા માંગતા હતા તો કેટલાક ગુસ્સામાં ઘરેથી ભાગી ગયા… રેલવેએ 400 થી વધુ બાળકોને તેમના પરિવાર પાસે પહોચાડ્યા

પશ્ચિમ રેલવેના (Western Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, આ બાળકોમાંથી કેટલાક પોતાના પરિવારથી નારાજ થઈને ઘરેથી ભાગી ગયા હતા અને કેટલાક બોલિવૂડની ચમક દમકને કારણે મુંબઈ તરફ નિકળી પડ્યા હતા.

કેટલાક હીરો બનવા માંગતા હતા તો કેટલાક ગુસ્સામાં ઘરેથી ભાગી ગયા… રેલવેએ 400 થી વધુ બાળકોને તેમના પરિવાર પાસે પહોચાડ્યા
Commendable work of Railway Protection Force. (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 8:59 AM

પશ્ચિમ રેલવે (Western Railway) આરપીએફની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જ્યાં તાત્કાલિક અને ઝડપી કાર્યવાહી કરીને આરપીએફ એ વર્ષ 2022 માં “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ, 487 બાળકો જેઓ તેમના પરિવારોથી વિખૂટા પડી ગયા હતા તેઓનું તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, આ બાળકોમાંથી કેટલાક પોતાના પરિવારથી નારાજ થઈને ઘરેથી ભાગી ગયા હતા અને કેટલાક બોલિવૂડની ચમક દમકને કારણે મુંબઈ (Mumbai) તરફ નિકળી પડ્યા હતા. પરંતુ આરપીએફ અને રેલવેના ફ્રન્ટ લાઇન વર્કરોએ આ માસુમોનું કાઉન્સિલિંગ કર્યું અને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવ્યું. જોકે, આરપીએફ સ્ટાફ સગીર બાળકોની પૂછપરછ કરી રહ્યો છે.

10 વર્ષના આરુષને સ્કૂલમાં ચિડવવામાં આવી રહ્યો હતો. તેનાથી નારાજ થઈને તે નવાપુર સ્ટેશનની રિક્ષામાં બેસી ગયો હતો. ત્યાંથી તે ગુજરાત જતી કારમાં બેસી ગયો. આ દરમિયાન જ્યારે ઉધના સ્ટેશન પર આરપીએફ સ્ટાફે બાળકને ફોસલાવીને પુછપરછ કરી હતી. ત્યારે હકીકત સામે આવી હતી. તે જ સમયે, ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ, 10 વર્ષના આરુષને આરપીએફ મુંબઈ દ્વારા પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના 25 જુલાઈની છે.

જાણો શું છે ઓપરેશન નન્હે ફરિશ્તે ?

ગયા વર્ષની 8 જુલાઈના રોજ, મુંબઈને અડીને આવેલા નાલાસોપારા સ્ટેશન પર એક 10 વર્ષનુ બાળક પ્લેટફોર્મ પર આંટા મારતું જોવા મળ્યું હતું. જ્યાં આરપીએફ સ્ટાફની પૂછપરછમાં બાળકે પોતાનું નામ આશિષ દુબે હોવાનું જણાવ્યું હતું. જ્યાં આશિષ ઘરની જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગયો હતો અને નાલાસોપારા સ્ટેશન આવ્યો હતો. રાત્રિના કારણે, તે ડરથી સ્ટેશન પર રોકાઈ ગયો. આવી સ્થિતિમાં બીજો કેસ 21 જુલાઈએ સામે આવ્યો. જ્યાં મુંબઈમાં RPF મહિલા સ્ટાફને 16 વર્ષની એક છોકરી રડતી જોવા મળી હતી. પૂછપરછ દરમિયાન તેણીએ જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાની છે. જ્યાં તેને લખનૌ જવા માટે ટ્રેનમાં ચડવાનુ હતુ, પરંતુ ભૂલથી તે મુંબઈ પહોંચી ગઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગયા વર્ષે આરપીએફ અને જીઆરપીએ 600 બાળકોને બચાવ્યા હતા

જણાવી દઈએ કે, છેલ્લા 7 મહિનામાં મુંબઈ ડિવિઝનમાંથી 181 કેસ નોંધાયા છે, જેમાં વડોદરા ડિવિઝનમાંથી 63, અમદાવાદ ડિવિઝનમાંથી 80, રતલામ ડિવિઝનમાંથી 102, રાજકોટ ડિવિઝનમાંથી 52 અને ભાવનગર ડિવિઝનમાંથી 09 બાળકોને બચાવી લેવાયા છે. જો કે, વર્ષ 2021માં પશ્ચિમ રેલવેના આરપીએફએ જીઆરપી અને અન્ય ફ્રન્ટલાઈન રેલવે કર્મચારીઓની મદદથી લગભગ 600 બાળકોને બચાવ્યા હતા. આ સાથે, તે મુસાફરોને ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા મુસાફરોને મદદ અને બચાવ પણ પ્રદાન કરે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">