CM ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી આ સમસ્યા

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેની સર્જરીનો દુખાવો વધી જતાં તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

CM ઉદ્ધવ ઠાકરેની થઈ ઈમરજન્સી સર્જરી, કરોડરજ્જુની સર્જરી બાદ થઈ હતી આ સમસ્યા
CM Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 5:05 PM

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની ગુરુવારે સવારે ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા સીએમ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી (Spinal surgery) કરવામાં આવી હતી. તે સ્વસ્થ પણ થઈ ગયા હતા. જોકે અચાનક તેમની કરોડરજ્જુમાં લોહી ગંઠાઈ જવાની વાત સામે આવતાં જ ડોક્ટરોએ તેમની ઈમરજન્સી સર્જરી કરવી પડી.

દુખાવો વધી જતા સર્જરીનો નિર્ણય

સમાચાર મુજબ ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. પરેશાનીના કારણે તે લોકો સાથેની મુલાકાત પણ ઓછી કરી રહ્યા હતા. દિવાળીના દિવસે તેઓ ભાગ્યે જ તેમના વર્ષા બંગલામાં મુલાકાતીઓને મળતા હતા. જ્યારે સીએમ ઠાકરેને દુખાવો વધી ગયો, ત્યારબાદ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠા થઇ ગયા હતા

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ઠાકરેના કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠાને કારણે ડોકટરોએ ફરી એકવાર સર્જરી કરવી પડી હતી, જેથી લોહીના ગઠ્ઠાને દૂર કરી શકાય. સીએમ ઉદ્ધવ ઠાકરેની બીજી સર્જરી ગુરુવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના 18માં માળે આવેલા સ્પેશિયલ ઑપરેટિંગ થિયેટરમાં કરવામાં આવી હતી.

તેમની નવી સર્જરી શિવસેના પ્રમુખના સ્પાઈન સર્જન ડૉ. શેખર ભોજરાજ અને હૃદયરોગના નિષ્ણાત ડૉ. અજિત દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. મહત્વનું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે ઘણા દિવસોથી ગરદન અને પીઠના દુખાવાથી ઝઝૂમી રહ્યા હતા.

થોડા દિવસ પહેલા થઇ હતી પહેલી સર્જરી

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેની પહેલી સર્જરી 12 નવેમ્બરે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. કરોડરજ્જુની સમસ્યાને કારણે તેમને 10 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ

સીએમ ઉદ્ધવ ઠાકરેએ દુખાવો વધી જતા ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ઈમરજન્સી સર્જરી થઈ ગઈ છે ત્યારે હવે એક મેડિકલ ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

આ પણ વાંચો : India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, 257 જગ્યાઓની વેકેન્સી માટે આ રીતે કરો અરજી

આ પણ વાંચો : BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સમાં સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">