મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ, સરકારે જાહેર કરી SOP
સિનેમાઘરોને દરેક શો પછી સમગ્ર ઓડિટોરિયમને સેનિટાઇઝ કરીને ડીસઈન્ફેક્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જેમને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે, તેઓ થિયેટરોમાં કામ કરી શકશે.
મહારાષ્ટ્રની (Maharashtra) ઉદ્ધવ ઠાકરે સરકારે 22 ઓક્ટોબરથી રાજ્યમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ (Cinema halls and Multiplexes) ખોલવાની પરવાનગી જાહેર કરી દીધી છે સાથે જ મહારાષ્ટ્ર સરકારે એસઓપી પણ જાહેર કરી છે. જેનું પાલન કરવું ખુબ જરૂરી છે.
એસઓપી એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. મહારાષ્ટ્રમાં થિયેટરો અને મલ્ટીપ્લેક્સ ખોલવા માટે તે અંતર્ગત માંગ કરવામાં આવી છે કે થિયેટરની અંદર સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું જોઈએ. ફેસ માસ્ક પહેરવું ફરજિયાત હોવું જોઈએ અને થિયેટરની અંદર સેનિટાઈઝરનો ઉપયોગ પણ હોવો જોઈએ. આ સાથે અન્ય ઘણી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું આવશ્યક
જો તમે સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોવા માંગતા હોય અને તમને રસી આપવામાં આવી હોય તો થિયેટરમાં પ્રવેશતા પહેલા તમારે તમારા રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું પડશે. જો કે, જેમને હજુ સુધી રસી આપવામાં આવી નથી તેઓ પણ સિનેમા હોલમાં જઈ શકે છે. જો કે તેઓએ પોતાને આરોગ્ય સેતુ એપ પર સુરક્ષિત સ્થિતિમાં બતાવવું પડશે. પ્રેક્ષકો થિયેટરમાં જાય તે પહેલા સિનેમા હોલનો સ્ટાફ તેમનું તાપમાન પણ તપાસશે.
50 ટકા ક્ષમતા સાથે પરવાનગી આપવામાં આવી
સિનેમાઘરોને હાલમાં 50 ટકા ક્ષમતા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી થિયેટરમાં વધારે ભીડ ન હોય. આ સાથે સ્ટેગર શો ટાઈમિંગ પર પણ કામ કરવાનું કહેવામાં આવ્યું છે. એસઓપીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રેક્ષકોએ ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપવું જોઈએ. આ સાથે તમામ સિનેમાઘરોને દરેક શો પછી સમગ્ર ઓડિટોરિયમને સેનિટાઈઝ કરીને ડીસઈન્ફેક્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. થિયેટરોમાં કામ કરી શકશે જેમને રસીના બંને ડોઝ લાગી ચુક્યા છે.
ખાદ્ય પદાર્થોને મંજૂરી આપવામાં આવશે નહીં
એક તરફ જ્યારે દર્શકો માટે સિનેમા હોલ ખોલવામાં ખુશી છે તો બીજી તરફ એક નિરાશાની વાત પણ છે. જે દર્શકો ફિલ્મ જોતી વખતે કોલ્ડ ડ્રિંક પોપકોર્ન અથવા કંઈપણ ખાવાની ટેવ ધરાવે છે, તેમને સિનેમા હોલની અંદર આ પરવાનગી મળશે નહીં. સરકારે જાહેર કરેલી એસઓપીમાં સૂચના આપવામાં આવી છે કે થિયેટરમાં પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ અથવા કોઈપણ ખાદ્ય ચીજવસ્તુઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Ranjit Murder Case: ગુરમીત રામ રહીમની સજાનો ચુકાદો અનામત, 18 ઓક્ટોબરના રોજ સંભળાવાશે ચુકાદો