શું ઉદ્ધવ ઠાકરેને સાઈડ લાઈન કરીને એકનાથ શિંદે સંભાળી શકે છે સેનાની કમાન? આ મુશ્કેલ જ નહીં અશક્ય છે, જાણો શા માટે?

જો એકનાથ શિંદેને (Eknath Shinde) શિવસેનાની કમાન મેળવવી હોય તો તેમણે પ્રતિનિધિ સભાની મંજૂરી લેવી પડશે. તેના 250થી વધુ સભ્યો છે. આ પછી જ ચૂંટણી પંચ તેમને માન્યતા આપી શકશે.

શું ઉદ્ધવ ઠાકરેને સાઈડ લાઈન કરીને એકનાથ શિંદે સંભાળી શકે છે સેનાની કમાન? આ મુશ્કેલ જ નહીં અશક્ય છે, જાણો શા માટે?
Uddhav Thackrey & CM Eknath Shinde (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 9:22 PM

એકનાથ શિંદેએ (Eknath Shinde) આજે ​​શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોને પોતાના જૂથમાં સામેલ કર્યા છે. એટલે કે 55 ધારાસભ્યોની સેનામાં બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો એકનાથ શિંદેની છાવણીમાં છે. શિંદે જૂથનો એવો પણ દાવો છે કે શિવસેનાના (Shiv Sena) 18 સાંસદોમાંથી 8-9 સાંસદો તેમના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે શું એકનાથ શિંદે જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ તીર પર દાવો કરી શકે છે? શું શિંદે જૂથ તેના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે ઓળખાવી શકશે? એકંદરે, શું શિંદે જૂથ પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) બાયપાસ કરીને શિવસેના પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે? જવાબ એ છે કે એકનાથ શિંદે માટે આવું કરવું માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે.

કોંગ્રેસના એક નેતા પ્રવીણ બિરાજદારનું આ અંગેનું ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં તેમણે શિવસેનાના પાર્ટી બંધારણ તરફ ધ્યાન દોર્યું છે. જેમાં શિવસેના પ્રમુખના અધિકારો, તેમની ચૂંટણીની પ્રક્રિયા, શિવસેનાના પ્રતિનિધિ સભા અને કાર્યકારિણીના સભ્યોની ચૂંટણી અને તેમના અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શિવસેનામાં શિવસેના પ્રમુખનું પદ સર્વોચ્ચ

તમને જણાવી દઈએ કે શિવસેનાના નિયમો અનુસાર શિવસેના પ્રમુખનું પદ સર્વોચ્ચ છે. એક રીતે શિવસેના પ્રમુખને પક્ષમાં સંપૂર્ણ સત્તા છે. શિવસેના પ્રમુખને પક્ષમાંથી કોઈપણને હાંકી કાઢવાનો અધિકાર છે. દરેક પક્ષની નિયમાવલી ચૂંટણી પંચને સત્તાવાર રીતે સોંપવામાં આવે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રાષ્ટ્રીય કાર્યકારિણીની સહમતિથી શિંદે શિવસેના પ્રમુખની ગાદી પર બેસી શકે?

સવાલ એ થાય છે કે શું એકનાથ શિંદે રાષ્ટ્રીય કાર્યકારિણીની સહમતિથી શિવસેના પ્રમુખની બેઠક મેળવી શકશે કે નહીં? એ વાત સાચી છે કે શિવસેના પ્રમુખ રાષ્ટ્રીય કાર્યકારિણીની સહમતિથી કામ કરે છે. પરંતુ તેઓ રાષ્ટ્રીય કાર્યકારિણીની સલાહને અનુસરવા બંધાયેલા નથી. શિવસેના પ્રમુખની નિમણૂક પ્રતિનિધિ સભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. પ્રતિનિધી સભામાં માત્ર ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ થતો નથી. જેમાં જિલ્લા પ્રમુખ, જિલ્લા સંપર્ક પ્રમુખથી લઈને મુંબઈના વિભાગ પ્રમુખ હોય છે. 2018માં આવા 282 લોકોએ મળીને ઉદ્ધવ ઠાકરેને શિવસેના પ્રમુખ પદ પર નિયુક્ત કર્યા હતા.

જે રાષ્ટ્રીય કાર્યકારિણીના 14 સભ્યોની સંમતિથી પાર્ટી પ્રમુખ કાર્યો કરે છે. તે રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો પણ પ્રતિનિધિ સભાના સભ્યો દ્વારા ચૂંટાય છે અને શિવસેનાના વડા દ્વારા મહત્તમ 5 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો પક્ષના નેતાઓ તરીકે ઓળખાય છે. 2018માં પ્રતિનિધિ સભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા 9 લોકોમાં ખુદ ઉદ્ધવ ઠાકરેનું નામ છે, આદિત્ય ઠાકરેનું સંજય રાઉતનું નામ છે, પરંતુ એકનાથ શિંદેનું નામ નથી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે દ્વારા પાર્ટીના વડા તરીકે નિયુક્ત કરાયેલા 4 લોકોમાં એકનાથ શિંદે એકલા નથી. વધુ ત્રણ લોકો પણ છે.

શું પ્રતિનિધિ સભાના 250 સભ્યો એકનાથ શિંદેને સમર્થન આપશે?

જો એકનાથ શિંદેને શિવસેનાની કમાન મેળવવી હોય તો તેમણે પ્રતિનિધિ સભાની મંજૂરી લેવી પડશે. તેના 250થી વધુ સભ્યો છે. આ પછી જ ચૂંટણી પંચ તેમને માન્યતા આપી શકશે અને જો એકનાથ શિંદે પાર્ટીના બંધારણના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરશે તો આ અધિકાર રાષ્ટ્રીય કાર્યકારિણીનો છે. અહીં ઉદ્ધવ ઠાકરે સમર્થકોનું વર્ચસ્વ છે. આમ છતાં જો કોઈ શક્યતા હોય તો પણ પક્ષના વડા કોઈપણ નિર્ણયને બાજુ પર રાખી શકે છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે પાસે બીજી પાર્ટી બનાવવા અથવા પોતાના જૂથને ભાજપમાં સામેલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">