ભારતમાં રહેતા મુસ્લીમોના પુર્વજો એક, અંગ્રેજોએ ખોટી રીતે આપણને લડાવ્યા – RSS પ્રમુખ મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરવાદીઓ અને ઉગ્રવાદીઓ સામે મક્કમ રહેવું જોઈએ.
આરએસએસના (RSS) પ્રમુખ મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat) સોમવારે મુંબઈમાં ‘રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી’ વિષય પર એક સેમિનારમાં બોલતા કહ્યું હતું કે અંગ્રેજોએ ખોટી ધારણાઓ ઉભી કરીને હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા હતા. બ્રિટિશરોએ મુસ્લિમોને કહ્યું કે જો તેઓ હિંદુઓ સાથે રહેવાનું નક્કી કરે તો તેમને કંઈ મળશે નહીં, માત્ર હિન્દુઓને પસંદ કરવામાં આવશે અને તેમને અલગ (રાષ્ટ્ર) ની માંગણી કરવા માટે પ્રેરીત કર્યા.
આરએસએસ પ્રમુખે મુસ્લિમોને કહ્યું કે ભારતમાંથી ઇસ્લામનો નાશ કરવામાં આવશે. શું આવું થયું? ના, મુસ્લિમો તમામ હોદ્દાઓ સંભાળી શકે છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં આયોજીત મુસ્લિમ બૌદ્ધિકોના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતમાં રહેતા હિન્દુ-મુસ્લિમના પૂર્વજો સમાન છે.
મોહન ભાગવતે કહ્યું કે અંગ્રેજોએ એક ગેરસમજ ઉભી કરી. તેમણે હિંદુઓને કહ્યું કે મુસ્લિમો ઉગ્રવાદી છે. તેણે બંને સમુદાયો સામે લડાવ્યા. તે લડાઈ અને અવિશ્વાસના પરિણામે, બંને એકબીજાથી અંતર રાખવાની વાત કરી રહ્યા છે. આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સાથે જ તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા અને દરેક ભારતીય હિન્દુ છે.
#WATCH | RSS chief Mohan Bhagwat says Britishers made Hindus and Muslims fight by creating misconception, at a symposium on the topic of 'Rashtra Pratham – Rashtra Sarvopari' in Mumbai pic.twitter.com/b71lyt0qRe
— ANI (@ANI) September 6, 2021
સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરવાદીઓ સામે અડગ રહેવું જોઈએ: ભાગવત
આરએસએસના વડાએ કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરવાદીઓ સામે મક્કમ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિની સમકક્ષ છે. આ અન્ય વિચારો માટે અપમાનજનક નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ વિશે નહીં, પરંતુ ભારતીય વર્ચસ્વ વિશે વિચારવું પડશે.
ઈસ્લામ આક્રમણકારો સાથે આવ્યો
ભાગવતે કહ્યું કે ભારતના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ઇસ્લામ આક્રમણકારો સાથે આવ્યો છે. આ જ ઇતિહાસ છે અને આને આ જ રૂપમાં કહેવું જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરવાદીઓ અને ઉગ્રવાદીઓ સામે મક્કમ રહેવું જોઈએ. જેટલું વહેલું આ કરીશું, સમાજને ઓછું નુકસાન થશે.
ભારત કોઈને ડરાવશે નહી
આરએસએસના પ્રમુખે કહ્યું કે, એક મહાસત્તા તરીકે ભારત કોઈને પણ ડરાવશે નહીં. હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન છે અને દરેક ભારતીય હિંદુ છે. અગાઉ જુલાઈ મહીનામાં પણ મોહન ભાગવતે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.